2022નો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર આવી ગઇ છે ત્યારે પોલીસ દ્વારા આજના દિવસ માટે અમદાવાદમાં કેટલાક નિયમો લાગુ પાડવામાં આવ્યાં છે. જેમાં 6 વાગ્યા પછી આ રસ્તાઓ પર વાહનો લઇ જવાનું પ્રતિબંધિત રહેશે.
નવા વર્ષની ઉજવણી પહેલા જાહેર થયો નવો નિયમ
પોલીસ કમિશ્નરે એક દિવસ માટે લાગુ પાડ્યાં નવા નિયમો
વાહનો અને લોકોની અવર જવર પર પ્રતિબંધ અંગેનાં નિયમો
આજે 12 વાગ્યે લોકો નવા વર્ષની ઊજવણી કરવાની તૈયારીમાં લાગી ગયાં છે ત્યારે અમદાવાદમાં વાહનોને લઇને કેટલાક જરૂરી નિયમો આવ્યાં છે. અમદાવાદનાં SG હાઇ-વે સિંધુ ભવન રોડ અને CG રોડ પર પર મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે એકઠાં થાય છે. ત્યારે આ રસ્તાઓ પર સાંજે 6 વાગ્યા બાદ વાહનો લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યાં છે.
આ રસ્તાઓ રહેશે બંધ
પોલીસ કમીશ્નર દ્વારા આજના દિવસ માટે કેટલાક કડક નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. સાંજે 6 વાગ્યાથી પંચવટી સર્કલથી સ્ટેડિયમ પાંચ રસ્તા સુધીનો સમગ્ર CG રોડ વાહનો માટે બંધ રહેશે જ્યારે રાતનાં 8 વાગ્યાં બાદથી SG હાઇવે પર પકવાન 4 રસ્તાથી સાણંદ ચોકડી સુધીનો હાઇવે અને સર્વિસ રોડ પણ પાર્કિંગ માટે બંધ રહેશે. આ સિવાય નહેરૂનગર સર્કલથી શિવરંજની ક્રોસ રોડ તેમજ ઇસ્કોન ચાર રસ્તા સુધીનાં રોડ પર ખાનગી બસો પાર્ક કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નવાં વર્ષને આવકારવા લોકો તૈયાર
CG રોડનાં સમર્થેશ્વર મહાદેવથી ગુલબાઇ ટેકરા વાળો રસ્તો અને ગિરીશ કોલ્ડ્રિંકથી મીઠાકડી સુધીનાં ક્રોસ રોડ પર જઇ શકાશે પરંતુ CG રોડ પર કોઇપણ પ્રકારનાં વાહનોની અવરજવર 1લી જાન્યુઆરી રાતનાં 3 વાગ્યાં સુધી બંધ રહેશે.
માલવાહકો માટે પણ ચોક્કસ નિયમો
પોલીસ કમીશ્નરે 31 ડિસેમ્બર રાતનાં 8 વાગ્યાથી રાતનાં 11 વાગ્યા સુધી ભારે અને મધ્યમ માલવાહક વેહિકલ્સ અને અન્ય પેસેન્જર વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો SG હાઇવે પર પણ રાત્રે 8 વાગ્યા બાદ વાહનોની અવરજવર 1 જાન્યુઆરી રાતનાં 3 વાગ્યા સુધી બંધ રહેશે.