મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ચાલુ વર્ષના બજેટમાં શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે વિભિન્ન બ્રિજ પ્રોજેક્ટ હાથ પર લેવાયા છે. આ માટે બજેટમાં કુલ રૂ.૩૩૬ કરોડથી વધુ રકમ ફાળવાઇ છે. દરમિયાન નરોડા-નારોલ રોડ પરના વિરાટનગર જંક્શન અને મેમ્કો બ્રિજથી ગુરુજી બ્રિજ સુધીના ૧૩ર ફૂટ રિંગરોડના અિજત મિલ જંક્શન પરના સ્પ્લીટ ફલાયઓવર બ્રિજનું લોકડાઉનના કારણે સ્થગિત કરાયેલું નિર્માણકાર્ય પુનઃ શરૂ કરાયું છે. આ બંને સ્પ્લીટ ફલાયઓવર બ્રિજનું આગામી ડિસેમ્બર અંત સુધીમાં લોકાર્પણ થવાની શક્યતા છે.
ભાજપ શાસિત કોર્પોરેશનમાં શહેરને ટ્રાફિકમુક્ત કરવા માટે ચાલુ વર્ષ ર૦ર૦-ર૧ના બજેટમાં વિવિધ બ્રિજ પ્રોજેક્ટનાં આયોજન કરાયાં છે, જેમાં વાડજ જંક્શન ફલાયઓવર બ્રિજ, સતાધાર ચાર રસ્તા ફલાયઓવર બ્રિજ, પ્રગતિનગર ચાર રસ્તા પર સ્પ્લીટ ફલાયઓવર બ્રિજ, પલ્લવ ચાર રસ્તા પર સ્પ્લીટ ફલાયઓવર બ્રિજ, ઘોડાસર ચાર રસ્તા પર સ્પ્લીટ ફલાયઓવર બ્રિજ, નરોડા-પાિટયા જંક્શન ફલાયઓવર બ્રિજ તેમજ વિવેકાનંદનગર અને વિનોબા ભાવેનગર વસાહતને જોડતા ખારી રિવરબ્રિજનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ભાજપના શાસકોએ ચાલુ વર્ષના રિવાઇઝડ બજેટમાં હાથીજણ-લાલ ગેબી સર્કલ ફલાયઓવર બ્રિજ, સ્વામિનારાયણ કોલેજથી શાહઆલમ ટોલનાકા જંક્શન ફલાયઓવર બ્રિજ, નારણપુરા એઇસીથી વિવેકાનંદ સર્કલ સુધી અન્ડરપાસ, નહેરુ બ્રિજથી નગરી હોસ્પિટલ સુધી અન્ડરપાસ એમ કુલ ચાર બ્રિજ પ્રોજેક્ટ માટે કુલ રૂ.રપ કરોડની રકમની ફાળવણી પણ કરી છે. શાસક પક્ષ દ્વારા હયાત ફલાયઓવર બ્રિજ તેમજ રિવર બ્રિજના ટ્રાફિકનો સર્વે કરીને ચાર લેનનું વિસ્તૃતીકરણ કરવા માટેનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનું આયોજન કરાયું છે.
જોકે હવે ગત તા.૧ જુલાઇથી અમલમાં મુકાયેલા અનલોક-ર બાદ તંત્ર દ્વારા અગાઉથી પ્રગતિમાં રહેલા બ્રિજ પ્રોજેક્ટને ઝડપભેર પૂર્ણ કરવા પર ખાસ ભાર મુકાયો છે, જેે અંતર્ગત આશરે રૂ.૪૦૦ કરોડના વિવિધ પ્રોજેક્ટને પુનઃ ચાલુ કરાયા છે એટલે શહેરીજનોએ આગામી છ મહિનાથી એક વર્ષની અંદર નિર્માણાધીન બ્રિજ પ્રોજેક્ટ પૂર્ણ કરાયા બાદ તેની સુવિધાનો લાભ મળતો થશે. ખાસ તો બે સ્પ્લીટ ફલાયઓવર બ્રિજનો નાગરિકોને નિકટના ભવિષ્યમાં લાભ મળશે.
નારોલ-નરોડા રોડ પર વિરાટનગર જંકશનનું કામ ૭પ ટકા જેટલું પૂર્ણ થઇ ગયું હોઇ આગામી ડિસેમ્બર અંત સુધીમાં આ સ્પ્લીટ ફલાયઓવર બ્રિજ ધમધમતો થઇ જશે તેવી તંત્રની ગણતરી છે. વિરાટનગર જંક્શન પરથી પસાર થતો તથા ૧૩ર ફૂટ રોડ પરથી વિરાટનગર કેનાલ તરફ જતા હેવી ટ્રાફિકને સરળતાથી વહન કરી શકે તેવા આશયથી વિરાટનગર જંક્શન પર પ૦૭ મીટર લંબાઇનો સ્પ્લીટ ફલાયઓવર બ્રિજ નિર્માણાધીન છે.
આશરે ૧૯ મીટર પહોળાઇના આ ફલાયઓવર બ્રિજ પાછળ રૂ.પ૦.૬૬ કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. આ બ્રિજનું નિર્માણ થયા બાદ તેના પરથી દરરોજ આશરે ૭પ,૦૦૦થી વધુ લોકોની અવરજવર થઇને ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેમ જણાવતાં મ્યુનિ. સૂત્રો ઉમેરે છે કે અત્યારની સ્થિતિએ કુલ ૭પ ટકા નિર્માણકાર્ય પૂર્ણ કરાયું હતું. હવે ગત તા.૧ જુલાઇથી વિરાટનગર સર્કલ પરના ઓિબ્લગેટરી સ્પાનની બાકી રહેલી કામગીરી હાથ પર લેવાઇ છે એટલે વધુમાં વધુ છ મહિનામાં આ બ્રિજ તેના ફિનિશિંગ સાથે લોકો માટે ઉપયોગી બની જશે.
વિરાટનગર જંક્શન ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં મેમ્કો બ્રિજથી ગુરુજી બ્રિજ સુધીના અિજત મિલ જંક્શન પરના ફલાયઓવર બ્રિજના બંધ પડેલા નિર્માણને પુનઃ ધમધમતું કરાયું છે. ૧૩ર ફૂટના રિંગરોડ પર અિજત મિલ જંક્શન પર ૬૩૩ મીટર લંબાઇનો અને ૧૬.પ૦ મીટર પહોળાઇનો ફલાયઓવર બ્રિજ આશરે રૂ.૬૧.૧૯ કરોડના ખર્ચે નિર્માણાધીન હતો, જોકે લોકડાઉનના કારણે ચાર મહિના સુધી કામગીરી ઠપ હતી.
આ બ્રિજના નિર્માણમાં પણ અિજત મિલ સર્કલ પરના ઓબ્લિગેટરી સ્પાન બનાવવાનું બાકી રહ્યું હોઇ તે મહત્તમ છ મહિનામાં આટોપી લેવાશે, જેના કારણે ડિસેમ્બર અંત સુધીમાં શહેરીજનોને અિજત મિલ જંક્શન ફલાયઓવર બ્રિજની પણ સુવિધા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા ગત તા.૧ જુલાઇથી અગાઉથી નિર્માણ હેઠળના રાજેન્દ્રપાર્ક જંક્શન સ્પ્લીટ ફલાયઓવર બ્રિજ, સિમ્સ રેલવે ઓવરબ્રિજ, નરોડા પાસે રેલવે ઓવરબ્રિજ વગેરે પ્રોજેક્ટને પણ પુનઃ શરૂ કરાયા છે.