પ્રાપ્ત મળતી વિગત અનુસાર અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્ય હતો. ફરસાણની દુકાનમાં આગ લાગતા આગ બાજુની દુકાનોમાં પ્રસરેલી જોવા મળી હતી.
જો કે આગ લાગવા અંગેની જાણકારી મળતા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યાં હતા. આગમાંથી 8 લોકોને રેસ્કયું કરવામાં આવ્યાં. આગની ઘટનાસ્થળે ચીફ ફાયર ઓફિસર સહિતની ટીમ પહોંચી હતી.
ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરનું નિવેદન
ચીફ ઓફિસર રાજેશ ભટ્ટ દ્વારા જણાવામાં આવ્યું કે આ આગમાં કુલ 8 લોકોના રેસક્યું કરવામાં આવ્યાં છે. જેમાં 4 પુરુષ અને 4 મહીલાઓ હતી. જો કે આ આગમાં કોઇ જાનહાનિ થઇ નથી. કોઇપણને ઇજા પણ પહોંચી નથી. આગ પર સંપૂર્ણરીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
એક બહેનને ગ્રીલ તોડીને ઘરમાંથી રેસક્યું કરવામાં આવ્યાં જ્યારે બાકીના 7 લોકોને ઘરની અગાશીમાંથી રેસ્કયું કરીને ઉતારવામાં આવ્યાં. પ્રથામિક તબક્કે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.