અમદાવાદના જમાલપુર વિસ્તારના પથરાણાવાળા લોકોને ઘણા સમયથી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે પાથરાણાવાળાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે વિરોધ નોંધાવ્યો છે.
એક તરફ હપ્તાના નામે અસામાજીક તત્વોનો ત્રાસ, તો બીજી તરફ AMCના અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામને હટાવવાને લઈને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરાયો છે.
અમદાવાદ શહેરના જમાલપુર પાથરણાવાળાઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે વિરોધ પ્રદર્શન કર્યો છે. જેમાં પાથરણાવાળાઓ આક્ષેપ કર્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ગેયરકાયદેસર બાંધકામને હટાવવાને લઇને પરેશાન કરી રહ્યાં છે.
જો કે જમાલપુરના પાથરણાવાળાઓને હવે કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવ્યાં છે. પાથરણવાળાના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતા ઇમરાન ખેડાવાલા પણ જોડાયાં છે.
જમાલપુર ખાતે પાથરણાવાળાઓએ જણાવ્યું હતું કે તેઓ 40 વર્ષથી અહીં ધંધો કરીને ગુજરાન ચલાવે છે. પાથરણાવાળાઓએ કહ્યું કે એક તરફ હપ્તાના નામે અસામાજીક તત્વોનો ત્રાસ છે તો બીજી તરફ AMCના અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામને હટાવવાને લઇને પરેશાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.