મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેક વર્ષ ૧૯૬રમાં બનેલાે સાબરમતી નદી પરનાે નહેરુબ્રિજ ખખડી ગયો છે એટલે આ ખખડી ગયેલા બ્રિજના રિપેરિંગ માટેનાં ચક્રો તંત્રે ગતિમાન કર્યાં છે. મ્યુનિ. ઇજનેર બ્રિજ પ્રોજેક્ટ દ્વારા નહેરુબ્રિજના રિપેરિંગ માટે આશરે રૂ.ર.પ૪ કરોડનું ટેન્ડર પણ તૈયાર કરાયું છે. મહત્વનું છે કે, નહેરૂબ્રિજના સમારકામને લઇને 20 દિવસ બ્રિજ બંધ રહેશે. 3થી 4 મહિના બ્રિજના રીપેરીંગનું કામ ચાલશે. અગાઉ સુભાસબ્રિજનું સમારકામ કરાયું હતું.
શહેરના રાજમાર્ગ ગણાતા પશ્ચિમ તરફના આશ્રમરોડને પૂર્વ તરફના સરદારબાગ સહિત કાલુપુર, મીરજાપુરને જોડનાર નહેરુબ્રિજ નદી પરના વાહન વ્યવહારની દૃષ્ટિઅે સૌથી મહત્ત્વનો બ્રિજ છે. નહેરુબ્રિજના નિર્માણને આશરે પ૮ વર્ષ થઈ ચૂક્યાં હોઇ તે અમુક અંશે ભયજનક બન્યો છે. બ્રિજ પર વાહનચાલકોને મુશ્કેલી સર્જે તેવી તિરાડ પડી હોઇ તેના પિલરની બેરિંગ પણ ત્રાંસી થઇ ગઇ છે.
1962માં સુભાષબ્રિજ હાથ ધરાયું હતું રિપેરિંગ
અગાઉ તંત્ર દ્વારા વર્ષ ૧૯૬રમાં જ બનેલા સુભાષબ્રિજનું રિપેરિંગ હાથ ધરાયું હતું. તે વખતે સુભાષબ્રિજ ઉપરના ભાગમાં મોટી તિરાડો પડી હતી તેમજ નાના-મોટા બેરિંગની પોઝિશન બદલાઇને તેમાં ગેપ પડી હતી. પરિણામે તંત્ર દ્વારા ગત ઓગસ્ટ-ર૦૧૯થી સુભાષબ્રિજને દર રવિવારે રિપેરિંગ માટે બંધ રખાયો હતો. સુભાષબ્રિજને રિપેરિંગ માટે ઊંચો કરવા માટે ૧પ૦ ટનની ક્ષમતા ધરાવતાં આઠ હાઇડ્રોલિક જેક મશીન તેમજ ર૦૦ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતાં ૧૪ હાઇડ્રોલિક જેક મશીનને કામે લગાડાયાં હતાં. સુભાષબ્રિજને ઊંચો કરી-એકસ્પાન્શન ગેપ રિપેરિંગ કરીને બેરિંગ બદલવાની કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરી ત્રણ મહિના ચાલી હતી અને દિવાળી બાદ રિપેરિંગ માટે ૧પ દિવસ સુુધી સુભાષબ્રિજને પૂર્ણપણે બંધ રખાયો હતો.
નેહરુબ્રિજ માટે 2.54 કરોડનું ટેન્ડર કરાયું તૈયાર
હવે નહેરુબ્રિજનો વારો આવ્યો છે. નહેરુબ્રિજને પણ ઘસારો લાગવાથી તે ખખડી ગયો છે અને તેના એક્સ્પાન્શન ગેપના રિપેરિંગ અને બેરિંગ બદલવાની જરૂરિયાત ઊભી થઇ છે. સુભાષબ્રિજના રિપેરિંગ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી રૂ.ર.રપ કરોડ ખર્ચાયા હતા, જ્યારે નહેરુબ્રિજ માટે રૂ.ર.પ૪ કરોડનું ટેન્ડર તૈયાર કરાયું છે. નહેરુબ્રિજના સ્પાનને હાઇડ્રોલિક જેકથી લિફટ કરી અમુક બેરિંગની સર્વિસ કરવી પડશે તેમજ અમુક સ્પાનની બેરિંગ બદલવી પડશે. આ એક સ્પેશિયલ પ્રકારની કામગીરી હોઇ તેનો કોન્ટ્રાક્ટ સૌથી ઓછા ભાવના બીડર ભોપાલની સેન્ફીડ (ઇન્ડિયા) લિ.ના અંદાિજત ભાવથી ર૯.ર૦ ટકા ઓછા ભાવના રૂ.ર.પ૪ કરોડના ટેન્ડરને મંજૂર કરાયું છે.
સુભાષબ્રિજ રિપેરિંગ બાદ 10 થી 15 વર્ષ માટે બન્યો સલામત
દરમિયાન સુભાષબ્રિજના રિપેરિંગ બાદ આ બ્રિજ વાહનચાલકો માટે આગામી ૧૦થી ૧પ વર્ષ માટે સલામત બન્યો છે. હવે નહેરુબ્રિજ પણ વાહનચાલકો માટે સલામત બનવા જઇ રહ્યો છે, જોકે સુભાષબ્રિજની જેમ પ્રારંભમાં તંત્ર દ્વારા દર રવિવારે બ્રિજને ચોક્કસ સમય સુધી બંધ રખાશે, પરંતુ સુભાષબ્રિજ કરતાં નહેરુબ્રિજની કામગીરી વધુ હોઇ મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ત્રણ મહિનાથી વધુ સમય રિપેરિંગ પાછળ લાગે તેવી શક્યતા દર્શાવી છે.
નહેરુબ્રિજ દર રવિવારે ચોક્કસ સમય માટે કરાશે બંધ
નહેરુબ્રિજના બેરિંગની પોઝિશન બદલાઇ ગઇ હોઇ તેને યોગ્ય પોઝિશનમાં મૂકી ગ્રીસિંગથી તેની મૂવમેન્ટને સરળ કરાશે તો અમુક બેરિંગ બદલાશે, જોકે આ કામગીરી દર રવિવારે નહેરુબ્રિજને ચોક્કસ સમય માટે બંધ રાખીને કરાશે, પરંતુ એકસ્પાન્શન ગેપના રિપેરિંગ માટે નહેરુબ્રિજને ઓછામાં ઓછા ૧પ દિવસ માટે બંધ રાખવો પડશે, જોકે ચૂંટણીનાં ઢોલ-નગારાં વાગતાં હોઇ મ્યુનિસિપલ તંત્ર દ્ધિધામાં પડ્યું છે એટલે નવેમ્બર અંત સુધીમાં ચૂંટણીની પ્રક્રિયા આટોપાઇ જાય ત્યારબાદ નહેરુબ્રિજને ૧પ દિવસ બંધ રાખીને તેનું રિપેરિંગ કામ આટોપી લેવાય તેવી શક્યતા છે.
સુભાષબ્રિજ અને નહેરુબ્રિજ પછી ગાંધીબ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરાશે
આ દરમિયાન સુભાષબ્રિજ અને નહેરુબ્રિજ બાદ ઇન્કમટેકસનો ગાંધીબ્રિજ પણ રિપેરિંગ માટે હાથ પર લેવાશે. ગાંધીબ્રિજ પણ દાયકાઓ જૂનો હોઇ તંત્ર દ્વારા ગાંધીબ્રિજના રિપેરિંગ માટેનાં ચક્રો ટૂંક સમયમાં હાથ ધરાશે.