નવું બજેટ જાહેર..પણ AMCના 263 કરોડના જુના કામ હજૂ કાગળ પર, શું AMC તંત્ર અને નેતાઓ જનતાને મુર્ખ બનાવે છે?
AMCના 263 કરોડના કામ આજે પણ કાગળ પર
2020-21માં વિવિધ પ્રોજેક્ટોની કરી હતી જાહેરાત
એક વર્ષમાં કાગળ પરથી જમીન પર ન આવ્યા કામ!
અમદાવાદ મનપાનું વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ રજૂ કર્યું.કમિશનર લોચન શહેરાએ રૂપિયા 8111 કરોડનું બજેટ રજૂ છે.ગતવર્ષ કરતા 636 કરોડના વધારા સાથેનું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મુકવામાં આવ્યું છે.જેમાં કોઈપણ જાતના વેરાનો વધારો કરવામાં આવ્યો નથી.
AMCના બજેટમાં શું?
શહેરમાં ઝોન દીઠ 7 સ્માર્ટ સ્કૂલ બનાવશે.તો ટ્રાફિક માટે 60 કરોડ ફાળવાયા છે.જ્યારે હેલ્થ અને હોસ્પિટલ માટે રૂપિયા 128 કરોડની ફાળવણી કરાઇ છે.આ સાથે જ 10 નવા અર્બન હેલ્થ સેન્ટરો બનાવવામાં આવશે.જેમાં રૂપિયા 40 કરોડની ફાળવણી કરવામાં આવી છે.અને 2 નવા CHC સેન્ટર માટે 20 કરોડ ફાળવાયા છે.તેમજ હાઉસિંગ માટે રૂપિયા 355.70 કરોડની જોગવાઈ કરાઇ છે.શહેરીજનો માટે 95 હજાર 43 મકાનો બનાવવાનું આયોજન છે.જ્યારે વોટર પ્રોજેકટ માટે 375.85 કરોડની જોગવાઈ કરાઇ છે.ખારીકટ કેનાલના વિકાસ માટે 900 કરોડની જોગવાઇ.જૂના બ્રીજના કામ માટે 150 કરોડની જોગવાઇ.100 નવી AC બસો ખરીદવામાં આવશે.BRTS માટે 100 કરોડની જોગવાઇ અને AMTS માટે 100 કરોડની જોગવાઇ કરાઇ છે.
વિકાસના કામોની વાતો કરીને વિશ્વાસઘાત કરે છે?
અમદાવાદ મહાનગરપાલિકાની સતાધારી પાર્ટી દ્વારા વિકાસની વાતો કરવામા આવે છે બજેટમા વિવિધ જોગવાઇ કરવામા આવે છે પણ હકીકત એ છે કે ભુતકાળમા રજુ કરેલા બજેટના કામો હજુ પુરા થયા નથી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2021-22-નુ 8051 કરોડનુ બજેટ રજુ કરાયુ હતુ....કમીશ્વરે રજુ કરેલા 7475 કરોડના બજેટમા ભારતીય જનતા પાર્ટી દ્વારા 576 કરોડના સુધારા કરીને રુપિયા 8051કરોડ નુ બેજેટ રજુ કરવામા આવ્યુ. હતુ દર વર્ષની જેમ ગત વર્ષના બજેટમા પણ વિવિધ જાહેરાત કરવમા આવી હતી જેનો સંપુર્ણ અમલ થયો નથી..કેટલીક જાહેરાત પોકળ સાબિત થઇ છે...ગત વર્ષના બેજટના બાકી રહેલા કાર્યો પર નજર કરીએ તો
વિપક્ષે કહ્યું માત્ર વચનો આપી લોકોને ભટકાવે છે
વિપક્ષ દ્વારા આ બાબતે તંત્રની ટીકા કરવામા આવી,વિપક્ષી નેતાનુ માનીએ તો દર વર્ષે કોર્પોરશેનની સતાધારી પાર્ટી કરોડોના બજેટ બનાવે છે..તેમા વિવિધ વચનો આપે છે પરંતુ તેમાથી કેટલાક કાગળ પર રહે છે,,પાંચ વર્ષ દરમિયાન આપેલા બજેટના કરોડોના પ્રોજેક્ટો માત્ર કાગળ પર છે.બજેટમા વિવિધ વચનો આપી લોકોને ગમુરાહ કરાતા હોવાનો આક્ષેપ કરાયો છે.
2020-21ના 263 કરોડના કામો હજુ કાગળ પર છે
પાંચ વર્ષના બજેટના જે કામો કાગળ પર છે તેમાથી કેટલાક પર નજર કરીએ તો
ભદ્ર કીલ્લાથી ત્રણ દરવાજા સુધીના વિસ્તારને સીટી સ્કવેર તરીકે વિકસાવાસે
કાલુપુર રેલવે સ્ટેશન-ખમાસાચારરસ્તા-નીકોલ-વાળીનાથ ચોક-નારાણપુરા-બાપુનગર ખાતે ફુટ ઓવર બ્રીઝ
કાંકરિયા ખાતે સીંગાપુર જેવુ ફીશ એક્વેરિયમ, સન્ડે સખી હાર્ટ
તો આ અંગે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનનુ કહેવુ છે કે વિપક્ષ માત્ર આક્ષેપ કરે છે.વાયદા જે કર્યા તે કામ પાઇપ લાઈન માં છે અને જલ્દી થી જ તે કામ પૂર્ણ પણ થશે. બજેટની જાહેરાતો કાગળ પર રહેવી એ કોઇ નવાઇવી વાત નથી વર્ષોથી આ સ્થિતિ જોવા મળે છે.ભાજપ હોય કે કોગ્રેસ દરેક રાજકીય પાર્ટી લોકોને જાહેરાતો કરી આકર્ષે છે.અમલીકરણની વાત આવે ત્યારે હોતા હૈની નીતી અપનાવામા આવે છે.