દેશમાં તમામ નાગરીકોને ઘરનું ઘર મળી રહે તે માટે વડાપ્રધાન આવાસ યોજના સહિતની યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. 20-22 સુધીમાં 100 ટકા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દેશભરમાં આવાસ યોજનાનું કામ ચાલી રહ્યું છે જેનાં પગલે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો ઘરનું ઘર મેળવવા માટે ઉમેદવારી નોંધાવતાં હોય છે. ત્યારે કેટલાક લોકો દ્વારા આ મકાનની ખરીદી કરીને ભાડે આપવામાં આવે છે ત્યારે હવે મનપાએ આવા લોકો સામે લાલ આંખ કરી છે.
મકાન દલાલો લાલ આંખ
AMC આવ્યું એક્શનમાં
માલિક મકાન નહીં આપી શકે ભાડે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં હવે ગરીબો માટે બનાવાયેલ આવાસો નહીં આપી શકાય ભાડે. કારણ કે શહેરમાં દલાલ માફિયાઓનું સામ્રાજ્ય વધતા હવે કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડુઆતોને મકાન નહીં આપવા નોટિસ લગાવી છે.
ભાડુઆતો આવાસના મકાનમાં દેખાશે તો મનપા કરશે કાર્યવાહી
જો ભાડુઆતો આવાસના મકાનમાં દેખાશે તો મનપાની ટીમ કાયદેસરની કાર્યવાહી કરશે. મુખ્યમંત્રી આવાસ યોજના ગરીબો માટે બનવવામાં આવી હતી. પરંતુ દલાલો માફિયા અને મકાન માલિકો કમાવાના હેતુ સાથે ભાડુઆતનો વેપાર કરતા હતા. 1 રૂમ, રસોડાનું ભાડું 4 થી 5 હજાર વસુલવામા આવતું હતું.
મકાન માલિકો અને દલાલો સામે લાલ આંખ કરી
જેની જાણ થતાં જ મનપાએ મકાન માલિકો અને દલાલો સામે લાલ આંખ કરી છે અને તમામ લાભાર્થીઓને મકાન અન્ય ઈશમોને ભાડે નહીં આપવા નોટિસ ફટકારી છે.
શું છે પીએમ આવાસ યોજના (PMAY)?
પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત 2015માં લોકોને ઘર મળી રહે તે માટે મદદ કરવા કરવામાં આવી હતી. આ સ્કીમમાં 4041 વૈધાનિક ટાઉન આવે છે અને તેનો ઉદ્દેશ્ય તેમાં આવનારા લોકોને 2022 સુધી ઘર આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લોકોને ઘર ખરીદવા અલગ-અલગ રીતે મદદ કરે છે. આ સ્કીમનું લક્ષ્ય મહાત્મા ગાંધીની 150 જયંતીના અવસર પર 31 માર્ચ 2022 સુધી દેશભરમાં 2 કરોડ ઘરનું નિર્માણ કરી 'બધા માટે ઘર' ઉપલબ્ધ કરાવાનું છે.