મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા શહેરના પોશ ગણાતા એલિસબ્રિજ વિસ્તારમાં લો ગાર્ડનના સુપ્રસિદ્ધ ખાણી-પીણી બજારને હેપી સ્ટ્રીટ તરીકે વિકિસત કરવાની કામગીરી યુદ્ધના સ્તરે ચાલી રહી છે અને સાથે-સાથે શહેરની રોનક ગણાતા રાજમાર્ગ સીજીરોડનો ડેવલપમેન્ટ પ્રોજેકટ પણ આગળ ધપી રહ્યો છે.
તંત્રના સીજીરોડના ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ ફૂટપાથની ખાસ ડિઝાઇન તૈયાર કરીને બંને તરફ ૧૦ થી ૧ર ફૂટ ઊંચાં વૃક્ષ વાવીને પ્રાકૃતિક વાતાવરણ ઊભું કરાઇ રહ્યું છે, પરંતુ આમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થતાં તંત્રનાં તાજાં વાવેલાં વૃક્ષ સુકાઇ જતાં સીજીરોડ પરથી પસાર થતા લોકો અચરજ પામે છે.
તંત્રના સીજીરોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વૃક્ષોની વચ્ચે પ્રાકૃતિક વાતાવરણને અનુરૂપ બાંકડાની ડિઝાઇન ધરાવતી બેઠક વ્યવસ્થા બંને તરફ વાહનોની આવ-જા માટે ૬.પ મીટરની બબ્બે લેન જ્યારે ત્રીજી લેનમાં રોડની ડિઝાઇનમાં કાર પાર્કિંગ તેમજ સ્ટ્રીટલાઇટના થાંભલા, બાંકડા અને ગ્રીનરી મેચ થાય તે રીતે ચોક્કસ અંતરે નખાઇ રહ્યા છે.
નવા બનતા રોડને લાઇટ કે ટેલિફોન કંપનીવાળા ખોદકામ ના કરે તે માટે તેમના વાયરને પસાર કરવા માટે બંને તરફ ડકલાઇન નખાશે. સીજીરોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સ્ટેડિયમથી પરિમલ ગાર્ડન વચ્ચેના ર.૬ કિ.મી. લાંબા રસ્તાની બંને બાજુ ૧૦ થી ૧ર ફૂટ ઊંચાં ૭પ૦ વૃક્ષ વાવીને તેની રમણીયતામાં વધારો કરાશે તેવો તંત્રનો દાવો છે.
તંત્રના આ દાવા મુજબ સ્ટેડિયમ ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તા વચ્ચેના ભાગમાં સપ્તપર્ણી અને મહાગોની વૃક્ષના આશરે ૮૦ રોપાનું વાવેતર કરાયું છે, જોકે સત્તાવાળાની યોગ્ય માવજતના અભાવે આ વૃક્ષારોપણ કરાયાના ૧પ દિવસમાં મોટા ભાગનાં વૃક્ષ સુકાઇ જઇ ઠૂંઠાં બની ગયાં છે.
નાગરિક સશક્તીકરણ મંચના પ્રમુખ જતીન શેઠ આ અંગે રોષભેર કહે છે કે સીજીરોડ પર એક બાજુ નવી ફૂટપાથ બની ગઇ છે અને બીજી બાજુનું કામ ચાલુ છે, જે દરમિયાન ફૂટપાથ પર વાવેલાં ૧૦ થી ૧ર ફૂટ ઊંચાં વૃક્ષ તેને લગાવ્યાંના ૧પ દિવસમાં જ સુકાઇને ઠૂંઠાં થયાં છે.
મ્યુનિ. બાગ-બગીચા વિભાગના વડા જિજ્ઞેશ પટેલને આ ઠૂંઠાં થયેલાં વૃક્ષના ફોટા મોકલીને તેની જાણ પણ કરી છે. કમનસીબે આ અધિકારીએ મારા મોકલાવેલા ફોટા જોયા છે, પરંતુ વૃક્ષને બચાવવા માટે કોઇ જહેમત લીધી નથી.
બીજી તરફ મ્યુનિ. બાગ-બગીચા વિભાગના વડા જિજ્ઞેશ પટેલ કહે છે કે સીજીરોડ ડેવલપમેન્ટ પ્રોજેકટ હેઠળ કુલ ૭પ૦ વૃક્ષનું રોપણ થવાનું હોઇ સ્વસ્તિક ચાર રસ્તાથી સરદાર પટેલ સ્ટેડિયમની ડાબી બાજુની ફૂટપાથ પર સપ્તપર્ણી અને મહાગોનીનાં કુલ ૮૦ વૃક્ષનું વાવેતર છેલ્લા ૧પ દિવસમાં કરાયું છે.
આ ૧ર ફૂટ ઊંચાં વૃક્ષ સીજીરોડની શોભામાં વધારો કરે તેવાં છે, પરંતુ આટલા મોટા કદનાં વૃક્ષ જ્યારે પહેલી વાર લગાવાતાં હોય તે વખતે તેનાં પાંદડાં શોક લાગવાથી ખરી પડે છે એટલે સીજીરોડ પર વાવેલાં એક પણ વૃક્ષ મૃતપ્રાય થયાં નથી. તમામ વૃક્ષ જીિવત છે અને તમામને નવેસરથી પાંદડાં આવવાનાં હોઇ તે બાબતે કોઇ ચિંતાનું કારણ નથી.