મહાનગરપાલિકાના ઢોરવાડામાંથી ગામ ગુમ થવા મામલે વિવાદ ચાલી રહ્યો છે.. ત્યારે હવે આ મામલે AMC કમિશનરે નિવેદન આપ્યું છે કે, શહેરમાંથી છેલ્લા એક વર્ષમાં 25 હજાર રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે.
ઢોરવાડામાંથી ગાયો ગુમ થવાની ફરિયાદ મળી હતીઃ કમિશનર
કઇ રીતે ગણતરીમાં ભૂલ થઈ તે માહિતી લેવાશેઃ કમિશનર
જવાબદાર અધિકારી સામે પગલા લેવાશેઃ કમિશનર
અનેક વખત અધિકારીઓ પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. આ મામલે પોલીસ કેસ પણ કરવામાં આવ્યા છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, શહેરમાં જ્યાં સુધી ઢોરનો ત્રાસ બંધ નહી થાય ત્યાં સુધી મનપા દ્વારા કામગીરી કરવામાં આવશે.
અત્યાર સુધીમાં 20 હજારથી વધુ ઢોરોને RFID ટેગ લગાવાયા
તંત્ર દ્વારા ઢોરને RFID ટેગ લગાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 20 હજારથી વધુ ઢોરોને RFID ટેગ લગાવવામાં આવ્યા છે.
ઢોર પકડાય તો માલિક સામે કાર્યવાહી પણ કરાશે
જો આગામી દિવસોમાં તે ઢોર પકડાય તો માલિક સામે કાર્યવાહી પણ કરાશે. ઢોરવાડામાંતી ગાય ગુમ મામલે ફરિયાદ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
જવાબદાર અધિકારીઓ સામે પણ પગલા લેવાશે
વિજિલન્સને તપાસ માટેની સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા કઇ રીતે ગણતરી કરવામાં આવી. અને ગણતરીમાં ભૂલ થઈ તેની માહિતી લેવાના આદેશ અપાયા છે. આ મામલે જવાબદાર અધિકારીઓ સામે પણ પગલા લેવાશે.