અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન આમ તો ભ્રસ્ટાચાર ના નામ સાથે સપડાયેલું છે તેમાં કોઈ નવાઈ નથી પરંતુ એક એવું કૌભાંડ સામે આવ્યું છે કે જેમાં ગામ માં રોડ બનવવા પાછળ રૂ 13.94 લાખ ખર્ચ બતાવવામાં આવ્યો પરંતુ વીટીવી ન્યુઝ દ્વારા રિયાલિટી ચેક કરતા કૈક અલગ જ હકીકત સામે આવી.
અમદાવાદ મહાનગરપાલિકાનો વધુ એક ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો
પાલિકાની હદમાં આવેલા ગામોમાં રોડ બનાવ્યા વગર બિલ ચુકવી દીધા
રોડ બનાવ્યા વગર જ બિલની રકમ પચાવી પાડી
'દીવા તળે અંધારું'આ કહેવાત કહેવાતા સ્માર્ટ સીટી અમદાવાદ માં જ સામે આવી છે.. મનપા ના નરોડા વોર્ડ માં આવેલ મુઠીયા ગામ માં ભ્રષ્ટ અધિકારીઓ એ લાખો રૂપિયા નો ગોટાળો કર્યો હોવાનો ખુલાસો એક આર ટી આઈ ના જવાબ માં સામે આવ્યો છે . મુઠીયા ગામ આમ તો વર્ષો થી કોર્પોરેશન માં ભળી ચૂક્યું છે પરંતુ અહીં વિકાસ કાગળ પર જ છે.
કાગળ પર રોડ બની ગયો અસલમાં ધૂળ જ ધૂળ
મુઠીયા ગામ માં પટેલ વાસ થી વણકર વાસ સુધી ના આર સી સી રોડ પાછળ કૌભાંડ સામે આવ્યું છે. આ વાસ માં રોડ નથી બન્યો છતા આર ટી આઈ ના જવાબ માં આ રોડ બની ગયો છે તેવો જવાબ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો. આ અંગે વીટીવી ન્યુઝ દ્વારા જયારે રિયાલિટી ચેક કરી તો અહીં હજુ પણ માટી નો જ રોડ જોવા મળી રહ્યો છે. વર્ષ 2018-19 ના બજેટ માં રૂ 13.94 લાખ ખર્ચે રોડ બનાવી દેવામાં આવુંઓ તેવું મનપા ના ચોપડે બોલી રહ્યું છે પરંતુ હકીકત કૈક વિપરીત જ જોવા મળી છે .
મનપા પાસે માહિતીમાં પણ ઝોલ
વર્ષ 2018-19 માં મુઠીયા ગામ ના પટેલ વાસ થી વણકર વાસ સુધી ના આર સી સી રોડ માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું અને જેનું કામ દરિયાપુર કોન્ટ્રાકટર ભાવેશ રોડ બિલ્ડરસ ને આપવામાં આવ્યું હતું. રૂ 13.94 લાખ નો ખર્ચ રોડ પાછળ બતાવામાં આવ્યો હતો પરંતુ એક વર્ષ વીતી ગયું તેમ છતાં અહીં રોડ નથી બન્યો અને અધિકારીઓ કોન્ટ્રાકટર સાથે મળી રૂપિયા ખાઈ ગયા . આર ટી આઈ માં હકીકટ કેટલા રૂપિયા નું ટેન્ડર કોન્ટ્રાકટર ને પાસ કરવામાં આવ્યું તે માહિતી પણ મનપા દ્વારા નથી આપવામાં આવી.
ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ સામે શું કાર્યવાહી થાય છે તે જોવા નું રહ્યું
એટલુ જ નહીં ગામ માં પટેલ વાસ પાસે રોડ ની સાઈડ પર પેવર બ્લોક પણ નથી લગાવવામાં આવ્યા. રોડ ની સાઈડ માં ગટર બનાવામાં આવી છે પરંતુ ત્યાં પેવર બોલક ના નાખવા પડે તે માટે આ પ્લોટ ને ખાનગી બતાવી દેવામાં આવ્યો તેવો પણ આક્ષેપ ગ્રામજનો એ કર્યો હતો ત્યારે હવે આ ભ્રષ્ટચાર કરનાર અધિકારીઓ સામે શું કાર્યવાહી થાય છે તે જોવા નું રહ્યું.
સળગતા સવાલ
અમદાવાદ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ક્યા સુધી થશે?
રોડ રસ્તો બનાવ્યા વગર જ રૂપિયા કેમ ચુકવી દીધા?
અમદાવાદ પાલિકામાં ભળેલા આવા કેટલા ગામોમાં ભ્રષ્ટાચાર થયો?
શું કાગળ પર જ રસ્તો બનાવીને રૂપિયા ચાઉ કરો છો?
ભાજપ શાસિત પાલિકાના નેતાઓ કેમ જવાબ નથી આપતા?
રોડ બનાવ્યા વગર જ કોન્ટ્રાક્ટરને રૂપિયા કેમ મળી ગયા?
શું બિલની ચુકવણી કરતા પહેલા કામ તપાસવામાં નથી આવતું?
અમદાવાદમાં આવો આંધળો વહીવટ ક્યા સુધી થશે?