ચીનમાં ફેલાયેલા ચેપી કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગુજરાતનો ચીન સાથે વાણિજ્યિક, શૈક્ષણિક વગેરે બાબતમાં ગાઢ સંબંધ હોઇ કોરોના વાઇરસગ્રસ્ત ચીનમાં રાજ્યના ૩૦થી વધુ લોકો સપડાયા હોવાની ચર્ચા છે. દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ પણ કોરોના વાઇરસના મામલે જાગૃત બન્યા છે.
કોરોના વાઇરસનો હાહાકાર
ગુજરાત સરકાર પણ થઇ સચેત
અમદાવાદ મનપાએ શરૂ કર્યો આઇસોલેશન વિભાગ
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલ, એલજી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલમાં કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીની સારવાર માટે કુલ ર૧ આઇસોલેશન બેડ તૈયાર રખાયા છે.
આઇસોલેશન વિભાગ કરાયો શરૂ
મ્યુનિસિપલ હેલ્થ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમપ્રકાશ કહે છે, કોરોના વાઇરસના એક પણ શંકાસ્પદ દર્દી હજુ સુધી મળી આવ્યા નથી, જોકે મ્યુનિસિપલ તંત્ર દ્વારા એસવીપી, એલજી અને શારદાબહેન હોસ્પિટલમાં કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીની સારવાર માટે કુલ ર૧ આઇસોલેશન બેડ, ૧૦ વેન્ટિલેટર અને ૧૦ પીપીઇ કિટ પણ તૈયાર રખાઇ છે. કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીનો ચેપ ડોક્ટરને ન લાગે તે માટે પીપીઇ કિટ ઉપયોગી બને છે.
શંકાસ્પદ દર્દીની લાળ અને લોહીનાં સેમ્પલને પુણે ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવશે. ત્યાંથી ૪૮ કલાકમાં કોરોના વાઇરસનો રિપોર્ટ મળશે.
મોબાઇલ મેડિકલ વાન રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે
એરપોર્ટ ખાતે એક ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સહિતની કુલ બે મોબાઇલ મેડિકલ વાનને ગઇ કાલે કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીના ચેકિંગ માટે મોકલી દેવાઇ છે. ઉત્તર અને દિક્ષણ ઝોનની આ મોબાઇલ મેડિકલ વાન રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે તેમ પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમપ્રકાશ જણાવે છે.
દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ચીનમાં જે યુવાનો ત્યાં ફસાયેલા છે.
ગાંધીનગર ખાતે શરૂ થયાં કંન્ટ્રોલરૂમ
તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ અિનલ મુકીમને સૂચનાઓ આપી હતી. આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવાર રિલીફ કમિશનર તંત્રનો સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો મેળવી શકશે. ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે, જેમાં ૦૭૯-ર૩રપ૧૯૦૦ તેમજ નાયબ કલેક્ટર ૯૯૭૮૪૦પ૭૪૧, ૯૦૯૯૦૧૬ર૧૩ અને મામલતદાર ૯૭૮૪૦પ૭૪૩નો સંપર્ક કરી શકાશે.