મનપા અધિકારીઓ બેજવબદારી ભર્યુ વર્તન કરી રહ્યા છે. 31મી ડિસેમ્બરના રોજ પોતાની પાસે રહેલી સંપત્તિ અંગેનું ફોર્મ ભરીને મોકલવાનું હોય છે પણ મનપાને અધિકારીઓને તો કોઈ નીતિ-નિયમો લાગૂ ન પડતા હોય તેવો ઘાટ ઘડાયો છે.
અમદાવાદ મનપાના અધિકારીઓ દ્વારા પોતાની મિલકત જાહેર કરવામાં ગલ્લા તલ્લા
દર વર્ષે સ્થાવર અને જંગમ મિલકતોની માહિતી કરાય છે જાહેર
નિયમ મુજબ અધિકારીઓએ ફોર્મ ભરવુ ફરજિયાત
અમદાવાદ મનપાના અધિકારીઓ દ્વારા પોતાની મિલકત જાહેર કરવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે. દર વર્ષે સ્થાવર અને જંગમ મિલકતોની માહિતી જાહેર કરવામાં આવે છે
માહિતી આપવા માટે મનપા અધિકારીઓએ નિયમ મુજબ ફોર્મ ભરવુ ફરજિયાત છે. પણ અધિકારીઓએ ભરેલી વિગતો ક્રોસ ચેક કરવાની કોઇ વ્યવસ્થા જ નથી.
શું આપવાની હોય છે વિગતો?
મનપા અધિકારીઓએ આ ફોર્મમાં રોકડ, બેંક બેલેન્સ, વાહન ખરીદીની વિગતો પણ આપવાની હોય છે. ઘરેણા, જમીન ખરીદી, સ્થાવર મિલકતની વિગતઓ આપવી પણ ફરજિયાત છે એટલું જ નહીં શેર અને બોન્ડના રોકાણની વિગતો પણ આપવી જરૂરી છે. 31 ડિસેમ્બર સુધી ફોર્મ ભરીને સેન્ટ્રલ ઓફિસમાં મોકલવાનું રહે છે.
સળગતા સવાલ
અમદાવાદ મનપાના અધિકારીઓ મિલકત જાહેર કેમ નથી કરતા?
અધિકારીઓ મિલકત જાહેર કરવામાં કેમ કરી રહ્યાં છે વિલંબ?
શું આ અધિકારીઓની જવાબદારી નથી?
અધિકારીઓએ ભરેલી વિગતો ક્રોસ ચેક કરવાની વ્યવસ્થા કેમ નથી?
અધિકારીઓએ પોતાની વિગતો ખોટી દર્શાવી તો?
હજુ સુધી અધિકારીઓ દ્વારા કેમ વિગતો આપવામાં આવી નથી?