સુરતમાં તંત્રનાં પાપે સર્જાયેલી આગ હોનારતમાં અનેક જિદગીઓ ભસ્મીભૂત થઈ ગઈ છે છતાં તંત્ર હજુ મીઠી નીંદરમાં જ પોઢી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. AMC દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી વગરની ઈમારતોની તપાસ ઝુંબેશ અને નોટિસ ફટકારવાની શરૂ કરાઈ છે પરંતુ તેમ છતાં AMCની આ કામગીરી માત્ર આરંભે શૂરા જેવી છે. કેમ કે સુરતની હોનારતને અઠવાડિયું વીતી ગયું છતાં અમદાવાદમાં અનેક ઈમારતો પર હજુ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી.
સુરતમાં તંત્રનાં પાપે સર્જાયેલી આગ હોનારતમાં અનેક જિદગીઓ ભસ્મીભૂત થઈ ગઈ છે છતાં તંત્ર હજુ મીઠી નીંદરમાં જ પોઢી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. AMC દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી વગરની ઈમારતોની તપાસ ઝુંબેશ અને નોટિસ ફટકારવાની શરૂ કરાઈ છે પરંતુ તેમ છતાં AMCની આ કામગીરી માત્ર આરંભે શૂરા જેવી છે. કેમ કે સુરતની હોનારતને અઠવાડિયું વીતી ગયું છતાં અમદાવાદમાં અનેક ઈમારતો પર હજુ સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી. આવી ઈમારતો વીટીવીનાં કેમેરામાં કેદ થઈ છે. તો કેવી છે હોનારતી રાહ જોતી ઈમારતોની સ્થિતિ. તે જોઈએ અહીં.
સુરતમાં આગ હોનારતમાં અનેક અમૂલ્ય જિંદગીઓ સ્વાહા થઈ ગઈ બાદ રાજ્યનું મ્યુનિસિપલ તંત્ર થોડું સળવળ્યું હોય તેવું આરંભમાં જોવા મળ્યું હતું. સરકારે અનેક શહેરોમાં બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટિ વ્યવસ્થા ચકાસવા સઘન ઝુંબેશ પણ હાથ ધરી હતી અને નોટિસો ફટકારવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ બધું આરંભે શૂરી પ્રતિક્રિયા જેવું હવે લાગી રહ્યું છે. કેમ કે સુરતની એ ગોઝારી ધટનાની જ્વાળા હજુ ઠરી ન ઠરી તે પહેલાં AMCનું તંત્ર ઠરી ગયું છે.
શહેરમાં અનેક જગ્યાએ ફાયર સેફ્ટિની ચકાસણી કર્યાનાં દાવા કરતા AMCને અમે શહેરની જ એક એવી ઈમારત દર્શાવીશું જ્યાં આગને આમંત્રણ આપતું વાયરિંગ લટકી રહ્યું છે. ઈમારત પર વીજળીનાં તાર લટકી રહ્યાં છે અને આગને ગતિ આપે તેવા શેડ તણાઈ ગયા છે. છતાં તંત્રનાં ધ્યાને કશું આવ્યું નથી. શહેરમાં અંકુર ચાર રસ્તા પાસે આવેલું અંકુર કોમર્શિયલ કોમ્પલેક્સ.
VTVનાં રિયાલીટી ચેકમાં જોઇએ તો અંકુર ચાર રસ્તા પાસે આવેલ અંકુર કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં મોતનાં કેબલો ખુલ્લા જોવાં મળી રહ્યાં છે. એટલું જ નહીં આ કોમ્પ્લેક્ષમાં બાળકોની 3 હોસ્પિટલ અને 4 ટ્યુશન કલાસીસ આવેલ છે. કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં 100થી વધુ દુકાનો આવેલી છે. પરંતુ આ કોમ્પ્લેક્ષમાં જ્યાં જુઓ ત્યાં માત્ર કેબલ લટકતા જોવાં મળી રહ્યાં છે તો ગેરકાયદે શેડ પણ મોટી માત્રામાં ઉભા કરી દેવામાં આવ્યાં છે.
કોમ્પ્લેક્ષનાં ત્રીજા માળે આવેલી સોનું ગાળવાની ભઠ્ઠીમાં બે દિવસ પહેલા ભીષણ આગ લાગી હતી. જેમાં ઘણો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના બાદ પણ તંત્ર ઊંઘતું જ રહ્યું છે અને મોતનાં કોમ્પ્લેક્ષ પર કોઈ કાર્યવાહી નથી કરી. તો બીજી તરફ છેલ્લાં 30 વર્ષથી આ ઈમારતમાં દુકાન અને ઓફિસો ધરાવતા નાગરિકો દ્વારા આ ઈમારતનું કોઈ મેઈન્ટેનન્સ નથી કરવામાં આવ્યું કે નથી રિ-વાયરિંગ કરવામાં આવ્યું તેવું ખુદ સ્થાનિક નાગરિકો કહી રહ્યાં છે.
તંત્રની ઘોર બેદરકારી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. AMC તંત્ર શા માટે આ કોમ્પ્લેક્ષ સામે કાર્યવાહી નથી કરી રહ્યું? શું તંત્ર કોઈ મળતિયાઓ સાથે સાંઠગાંઠ કરી રહી છે? AMCનો એસ્ટેટ વિભાગ આ ઈમારત પર ક્યારે કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું.