અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. જૂના મકાનો રિ-ડેવલપમેન્ટ થવાની મંજૂરી આપવામાં આવી છે. 75 ટકા સભ્યોની મંજૂરી હશે તે જગ્યાને રિ-ડેવલપમેન્ટ માટે મંજૂરી આપવાની જાહેરાત કરાઈ છે. 100 ટકાથી હટાવીને 75 ટકા કરવામાં આવ્યું છે. સોસાયટી-બાંધકામ 25 વર્ષ જૂનું હશે તેજ તેની મંજૂરી મળશે. જૂની પ્રોપર્ટીને નુકસાન થતુ હોવાના કારણે નિર્ણય કર્યો છે. આ પહેલા પણ આ નિર્ણયને લઈને અનેક વિવાદ ઉભો થયો હતો પરંતુ લોકોની સલામતિ અને શહેરના વિકાસને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે.
જૂના મકાનો થઈ શકશે રિ-ડેવલપમેન્ટ
75% સભ્યોની મંજૂરી બાદ થશે રિ-ડેવલપમેન્ટ
100 %થી હટાવીને 75 % કરવામાં આવ્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની સોસાયટીને લઇને એક નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની સોસાયટી જર્જરિત થઇ ગઇ હોય છે. જેથી આવી જૂની સોસાયટી રિ-ડેવલપમેન્ટમાં આવે છે. સાથે દુર્ઘટનાની પણ સંભાવના રહે છે. ત્યારે આવી જૂની ક્ષતિગ્રસ્ત સોસાયટીના રિ-ડેવલપમેન્ટના બાંધકામને મંજૂરી માટે સોસાયટીના તમામ સભ્યો (100 ટકા)ની સંમતિ જરૂરી હતી. જેમાં કેટલાક કિસ્સામાં સોસાયટીના કેટલાક સભ્યો અંગત કારણોસર/લાભ માટે રિ-ડેવલપમેન્ટ માટે અસંમત હોય છે. જેને લઇને બાંધકામના પ્લાનને મંજૂરી પ્રક્રિયામાં મુશ્કેલી ઉભી થતી હતી.
ત્યારે હવે રિ-ડેવલપમેન્ટમાં આવતી સોસાયટીના 75 ટકા કે તેથી વધુ સભ્યોએ રિ-ડેવલપમેન્ટની સંમતિ આપેલી હશે તો રિ-ડેવલપમેન્ટ થશે. સાથે સોસાયટી 25 વર્ષથી વધુ જૂની હોવી જરૂરી છે.