મેગા સિટી અમદાવાદ માટે પીરાણા ડમ્પ સાઇટનો આશરે પપ મીટર ઊંચો ડુંગર કલંકરૂપ છે. આ કચરાના ડુંગરમાં અંદાજે ૮૦ થી ૮પ લાખ મેિટ્રક ટન કચરો ઠલવાયેલો હોઇ તેમાંથી નીકળતા મિથાઇલ ગેસના કારણે વારંવાર આગ ફાટી નીકળે છે. તેથી આસપાસના રહેવાસીઓ ઝેરી ગેસથી શ્વસન રોગ સંબંધિત ગંભીર બીમારીનાે ભોગ બની રહ્યા છે.
પીરાણાના કચરાના ડુંગરની દુર્ગંધ નદી પાર છેક વાસણા સુધી લોકોને પરેશાન કરે છે. આ ડુંગરને દૂર કરવા માટે વર્ષોથી મ્યુનિસિપલ સત્તાવાળાઓ કવાયત કરતા હતા, પરંતુ હવે આગામી ત્રણેક વર્ષમાં તેને બાયોમાઇનિંગ પદ્ધતિથી દૂર કરીને ખુલ્લી જમીનમાં ફેરવવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે.
પીરાણાના કચરાના ડુંગરના નિકાલ માટે અગાઉ તંત્રે કેપિંંગનો પ્રોજેક્ટ વિચારણા હેઠળ લીધો હતો. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર ડી. થારાએ કેપિંગ માટે આયોજન હાથ ધર્યું હતું, જોકે કેન્દ્ર સરકાર દ્વારા કેપિંગના પ્રોજેક્ટને લીલી ઝંડી ન અપાતાં તેને પડતો મુકાયો હતો. તંત્ર દ્વારા કેપિંગ પ્રોજેક્ટ પાછળ રૂ.૩પ૦ કરોડ ખર્ચ કરવાની ગણતરી હતી. ડી. થારા બાદ આવેલા મ્યુનિસિપલ કમિશનર મૂકેશકુમારે કેપિંગના બદલે બાયોમાઇનિંગનો પ્લાન તૈયાર કર્યો હતો.
બાયોમાઇનિંગ માટે કેન્દ્ર સમક્ષ રૂ.૩૭૬ કરોડનો ડીપીઆર તૈયાર કરાયો હતો. આ માટેનું ટેન્ડર બહાર પડાયું હતું, જે છેવટે અભરાઇએ ચઢાવી દેવાયું હતું, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના બજેટમાં હાલના કમિશનર વિજય નેહરાએ પીરાણાના કચરાના ડુંગરના નિકાલ માટે રૂ.૩૮૦ કરોડ ફાળવ્યા હોઇ આને બાયોમાઇનિંગ પદ્ધતિથી દૂર કરવાની કવાયત હાથ ધરાઇ છે.
પીરાણાના કચરાના ડુંગરને દૂર કરવા માટે સત્તાવાળાઓ બાયોમાઇનિંગ પદ્ધતિથી કચરાનું વર્ગીકરણ કરશે. બાયોમાઇનિંગ પદ્ધતિમાં કચરાનું માટી, રોડાં, પ્લાસ્ટિક, લોખંડ અને ગાભા વગેરેમાં વર્ગીકરણ કરાશે અને આ વર્ગીકરણ કરાયેલા કચરાનું રિસાઇકલિંગ કરાશે.
મુંબઇ, દિલ્હી, બેંગલુરુ અને ઇન્દોરની કચરાનું બાયોમાઇનિંગ પદ્ધતિથી વર્ગીકરણ કરવા માટે ૧૬ એજન્સીને કામ અપાશે. પ્રત્યેક એજન્સીનાં ત્રણ-ત્રણ ટ્રોમેલ મશીન કચરાનંુ પીરાણા ખાતે ડમ્પ સાઇટ પર જ વર્ગીકરણ કરશે. આ ટ્રોમેલ મશીનને પીરાણા ખાતે ઊભાં રાખવાનાં પ્લેટફોર્મ પણ તૈયાર કરાયાં છે. પ્રતિ ટ્રોમેલ મશીનને એક મહિના માટે ભાડેથી લેવા માટે મ્યુનિસિપલ સત્તાવાળાઓ જે તે એજન્સીને રૂ.૬.૪૦ લાખ ચૂકવશે. અત્યારે ૪ર ટ્રોમેલ મશીનથી દરરોજના ૧ર,૦૦૦ મેિટ્રક ટન કચરાનું વર્ગીકરણ કરાશે તેવો તંત્રનો દાવો છે.
તંત્ર દ્વારા બાયોમાઇનિંગ પદ્ધતિ હેઠળ પીરાણાના કચરાના ડુંગરના નિકાલ માટેની એક દરખાસ્તને તૈયાર કરીને આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાઇ છે. આ અંગે સોિલડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી કહે છે કે શહેરને કચરામુક્ત બનાવવા માટેના તંત્રનાે આ પ્રયાસ છે, જોકે પીરાણાના કચરાના ડુંગરને જડમૂળથી દૂર કરવા ત્રણેક વર્ષ લાગશે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને તંત્રની બાયોમાઇનિંગ પદ્ધતિથી પીરાણાના ડુંગરને દૂર કરવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લીલી ઝંડી અપાશે તેમ પૂછતાં તેઓ કહે છે કે પીરાણાના કચરાના ડુંગરના નિકાલ માટે આ યોગ્ય પદ્ધતિ હોઇ તેને મંજૂરી અપાશે.