અમદાવાદ મનપા વ્હાલા-દવલાની નીતિ દ્વારા માનીતા અધિકારીઓને પ્રમોશન મળતા અધિકારીઓમાં નારાજગી સાથે છુપો રોષ સામે આવ્યો છે.
અમદાવાદ મનપામાં વ્હાલા-દવાલાની નીતિ
માનીતા અધિકારીને મળ્યું પ્રમોશન
અધિકરીઓની લડાઈમાં મનપાની આર્થિક સ્થિતિ બગડી
અમદાવાદ મનપામાં વ્હાલા-દવાલાની નીતિ સામે આવી છે. મનપામાં સિનિયર અધિકારીઓ હોવા છતાં જુનિયર અધિકારીને પ્રમોશન આપવામાં આપ્યું છે. જેને કારણે સિનિયર અધિકારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વર્ગ-1ના એક અધિકારીના ગ્રેડ-પેમાં વધારો થતાં, અન્ય અધિકારીઓએ પણ ગ્રેડ-પે વધારવા માગ કરી છે. મનપાના ગાર્ડન વિભાગના જિગ્નેશ પટેલના 2 ગ્રેડ-પેમાં વધારો કરવામાં આવ્યા છે. જેથી મનપાના અન્ય અધિકારીઓમાં અવગણના થતી હોવાથી રોષ જોવા મળી રહ્યા છે.
મનપામાં વિવિધ ખાતાના HOD અધિકારીઓમાં નારાજગી
ગ્રેડ-પે સાથે જ પ્રમોશનમાં પણ વ્હાલા-દવાલાની નીતિ સામે આવી છે. મનપાએ 3 અધિકારીઓને ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશનર બનાવ્યા છે. જેમાં અસિસ્ટન્ટ મ્યુન્સિપલ કમિશનર રમ્ય ભટ્ટ, પરાગ શાહ અને જુનિયર અધિકારી દિપક ત્રિવેદી સામેલ છે. જેને કારણે મનપાનવા વિવિધ ખાતાના HOD અધિકારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મનપામાં પ્રશાંત પંડયા, યોગેશ મૈત્રક, રાજેશ પટેલ, હર્ષદ સોલંકી, વિજય મિસ્ત્રી અને પ્રીતમ રાઉત જેવા સિનિયર હોવા છતાં જુનિયરને પ્રમોશન મળ્યું છે.જેથી અધિકારીઓમાં રોષ જોવા મળ્યો છે.
મધ્યસ્થ કચેરીમાં માનીતા અધિકારી રહેતાં અન્ય અધિકારીઓમાં નારાજગી
મનપાના એસ્ટેટ ઇન્સ્પેકટર દર્શન સંઘવી ગત 13 વર્ષથી BPSP વિભાગમાં કાંમગીરી કરી છે. સાથે એસ્ટેસ્ટ ઇન્સ્પેકટર પિયુષ પટેલ પણ ગત ઘણા સમયથી મધ્યસ્થ કચેરીમાં કાર્યરત છે. આમ માનીતા અધિકારીઓ મલાઈ વાળી પોસ્ટમાં રહેવાથી પણ અધિકારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
- જનતાના કામ કરવામાં પણ વ્હાલા-દવાલાની નીતિ રાખવાની ?
- સિનિયર અધિકારી હોવા છતાં જુનિયરને કેવી રીતે પ્રમોશન મળ્યું ?
- શું એક પણ સિનિયર અધિકારી પ્રમોશનને લાયક નહોતો ?
- એક જ અધિકારીના ગ્રેડ-પેમાં 2 વખત કેવી રીતે વધારો થઇ શકે ?
- જિગ્નેશ પટેલને 2 ગ્રેડ-પે કેવી રીતે મળી શકે ?
- શું જિગ્નેશ પટેલની સત્તાધીશો સાથે સાંઠ-ગાંઠ છે ?