શહેરમાં સરકારી યાદી મુજબ ભલે કોરોનાના કેસ ઘટયા છે અને મૃત્યુ આંક પણ ત્રણ પર સ્થિર થઇ ગયો છે. આજે પણ સેંકડો અમદાવાદીઓ માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાતું નથી. એટલે કે નવરાત્રિ-દિવાળીના તહેવારોમાં કોરોનાનું સંક્રમણ તેની ટોચ પર પહોંચી જાય તેવી પૂરેપૂરી શકયતા છે. તેમ છતાં મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીના ઢોલ વાગી રહ્યા હોઇ જાણ્યે-અજાણ્યે મ્યુનિ. તંત્ર પેનલ્ટીની વસૂલાતના મામલે હવે ઉદાસીન બન્યું છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની એસઓપી જાહેર કરાઇ તે વખતે જ ભારે વિવાદાસ્પદ બની
એસઓપીના ભંગ બદલ સત્તાધીશો હવે કયાંય પણ આંખ લાલ કરતા નથી
આ અઠવાડિયાના અંત સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ નિર્ધારિત થાય તેવી શક્યતા
શહેરના પશ્ચિમ વિસ્તારમાં યુવાનોને કોરોનાનના સુપર સ્પ્રેડર્સ તરીકે જાહેર કરીને તંત્રે ભારે સનસનાટી મચાવી દીધી હતી. પશ્ચિમ વિસ્તારના ર૭ રોડ પરના તમામ મોલ, રેસ્ટોરાં, શોરૂમ સહિતની દુકાનને રાતના ૧૦-૦૦થી સવારના ૬-૦૦ વાગ્યા સુધી ફરજિયાત બંધ કરી દેવાઇ છે .તે વખતે રાતના ૧૦-૦૦ વાગ્યા પછી પણ ખુલ્લી રહેતી હોય તેવી દુકાનને તંત્રે તાળાં મારીને સોશિયલ ડિસ્ટન્સિંગના મામલે લાપરવાહી દાખવતાં દુકાનદારોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો હતો, પરંતુ આ તમામ બાબતો સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયાની હતી. તે વખતે મોલ, શોરૂમ કે રેસ્ટોરાંમાં કોરોનાની એસઓપી પાળવામાં આવે છે કે કેમ? તેની સત્તાવાળાઓ તપાસ કરતા હતા. માસ્ક વગર ફરનારા નાગરિકો પાસેથી કડકાઇથી પેનલ્ટી વસૂલાતી હતી.
આ અઠવાડિયાના અંત સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ નિર્ધારિત થાય તેવી શક્યતા
પરંતુ હવે કોરોના સહેજે અટકયો ન હોવા છતાં તંત્રની કોરોના સામેની લડત જાણે કે અટકી પડી છે. આનું મુખ્ય કારણ મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી છે. આ અઠવાડિયાના અંત સુધીમાં ચૂંટણીનો કાર્યક્રમ નિર્ધારિત થઇને તેની આચારસંહિતા અમલમાં મુકાઇ જાય તેવી અટકળો છે.
સામી ચૂંટણીએ શાસક ભાજપ પક્ષ પેનલ્ટીની કડક વસૂલાતથી આમ પણ નારાજ થયેલા લોકોને વધુ નારાજ કરવા માગતો નથી. પરિણામે સંબંધિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને અંદરખાનેથી કામગીરીમાં ઢીલાશ મૂકવાનો આદેશ અપાયો હોય તેમ આ વિભાગે ઓકટોબર મહિનામાં ખાસ સક્રિયતા દાખવી નથી.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની એસઓપી જાહેર કરાઇ તે વખતે જ ભારે વિવાદાસ્પદ બની
મોલ, શોરૂમ અને હોટલ-રેસ્ટોરાં માટે જાહેર કરાયેલી એસઓપી ઉપરાંત પાનના ગલ્લા કે ચાની કીટલી માટેની એસઓપીના લીરેલીરા ઊડી રહ્યા છે. ચાની કીટલીએ પાણી માટે કોઠી કે પરબ રાખવા પર પ્રતિબંધ મુકાયો છે. પેકેજડ ડ્રિંકિંગ વોટર ફરજિયાત કરાયું છે. ગ્રાહકોનાં ટોળાં વળવાં ન જોઇએ. માસ્ક વેન્ડિંગ મશીન હોવાં જોઇએ. દર અઠવાડિયે કીટલીના કર્મચારીઓએ કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરાવાયો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની એસઓપી જાહેર કરાઇ તે વખતે જ ભારે વિવાદાસ્પદ બની હતી.
એસઓપીના ભંગ બદલ સત્તાધીશો હવે કયાંય પણ આંખ લાલ કરતા નથી
જોકે એસઓપીના ભંગ બદલ સત્તાધીશો હવે કયાંય પણ આંખ લાલ કરતા નથી. ચૂંટણીમાં લોકોનાં મન ભેળવવાં હોઇ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતું હોય તો ભલે વધે પણ તેમનો વધુ રોષ વહોરવો નથી તેવું જ જાણે કે તંત્રે ગાંઠે બાંધી લીધું હોય તેમ લાગે છે.