અમદાવાદ શહેરનું વર્ષ 2020-21નું બજેટ શાસક પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. 777 કરોડનો વધારો કરીને 9685 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ચેરમેન અમુલ ભટ્ટે સુધારા સાથે બજેટ રજૂ કર્યું છે. વિકાસના કામ માટે 443 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ચૂંટણીને ધ્યાને લઈને કરવેરા વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શાસક પક્ષે બજેટમાં વાહન વેરો મંજૂર કરાયો છે. જ્યારે અન્ય કરવેરાનો બોજ ફગાવી દેવામાં આવ્યા છે. બજેટમાં 228 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ફગાવ્યો છે. 16 કરોડનો વાહન વેરો યથાવત્ છે.
અમદાવાદ મનપાનું વર્ષ 2020-21નું વાર્ષિક બજેટ રજૂ
રૂ.9 હજાર 686 કરોડનું સુધારા સાથેનું બેજટ રજૂ
443 કરોડના ખર્ચે શહેરમા વિકાસના કામો કરાશે
અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા કરવેરા વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આજે અમદાવાદ શહેરનું વર્ષ 2020-21નું બજેટ શાસક પક્ષે રજૂ કર્યું હતું. ત્યારે જાણો આ બજેટમાં શું સમાવાયું છે?
અમદાવાદના મંદિર અને ગુરૂદ્વારાનો થશે વિકાસ
ભદ્ર મંદિરથી ત્રણ દરવાજાને વિકસાવવા 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જગન્નાથ મંદિર અને ઓઢવના ગુરુદ્વારાને વિકસાવવામાં આવશે.
સાબરમતી નદી, રિવફ્રન્ટ અને ટ્રાફિક સમસ્યાને લઇને જોગવાઇ
રવિવાર, ગુજરી બજાર સિવાય અન્ય બજાર અને રિવરફ્રન્ટનો વિકાસ કરાશે. હાથીજણ, લાલગેબી સર્કલ પાસે ફલાયઓવર બ્રિજ બનાવાશે. જલધારા વોટર પાર્કમાં 12D થિયેટરને વધુ અદ્યતન બનાવશે. ટ્રાફિક સમસ્યા નિવારવા 30 કરોડની જોગવાઈ કરાઇ છે.100 ટ્રાફિક જંકશનને થીમ બેઈઝ બનાવાશે. સાબરમતીને નેનો ટેકનોલોજી અને ક્લિનિંગ મશીનથી વધુ શુદ્ધ કરાશે.
ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનોમાં 100 ટકાની રાહત
સ્મશાનોમાં CNG લાઈન નથી ત્યાં ઇલેક્ટ્રિક બનાવશે. સ્મશાનમાં જ મરણનો દાખલો મળે તેવી વ્યવસ્થા ગોઠવશે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર વાહનોમાં 100 ટકાની રાહત આપવામાં આવશે. કાઉન્સિલરોનું બજેટ વધારીને 30 લાખ રૂપિયા કરાયું છે.