અમદાવાદમાં મનપા સંચાલીત શાળાઓના નામ હવે શહિદોના નામે રાખવામાં આવશે. પાલડી વિસ્તારમાં આવેલી શાળાનું નામ બદલીને મનપા દ્વારા કેપ્ટન નીલેશ સોનીના નામે કરવામાં આવ્યું છે.
અમદાવાદ મનપાનો મોટો નિર્ણય
મનપા સંચાલિત શાળાના નામ શહિદોના નામે રખાશે
લોકોએ મનપાના નિર્ણયને આવકાર્યો
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા હવે મનપા દ્વારા સંચાલિત સ્કૂલોના નામ બદલાવામાં આવશે. સ્કૂલના નામ શહીદ જવાનો પર રાખવનો મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
એલિસબ્રીજ શાળા નંબર-28નું નામ બદલાયું
શહેરમા આવેલ મોટા ભાગની શાળાઓનું નામ હવે શહિદોના નામ પર રાખીને તેમને અનોખી રીતે શ્રદ્ધાંજલી આપવામાં આવશે. એલિસબ્રિજ શાળા નંબર-28નું નામ બદલીને શહીદ કેપ્ટન નિલેશ સોની નામ રાખવામાં આવ્યું છે. મનપા દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા વદ્યાર્થીઓ તેમજ વાલીઓએ તેમને સમર્થન આપ્યું છે.
શહિદ કેપ્ટન નિલેશ સોનીનું નામ રખાયું
હવે દેશ માટે તેમના પ્રાણની આહુતી આપનારા શહીદોની કાયમી યાદગીરી મનપા દ્વારા નોંધાવામાં આવી છે. સાથેજ સરકાર દ્વારા પણ મનપાની કામગીરીને બિરદાવવામાં આવી છે. શેહરના પાલડી વિસ્તારમાં પણ મનપા સંચાલિત શાળા આવેલી છે. જે શાળાનું નામ મનપાએ બદલીને કેપ્ટન નિલેશ સોનીના નામે રાખવામાં આવ્યું છે.
કેપ્ટન નિલેશ સોની 25 વર્ષે શહિદ થયા હતા
આપને જણાવી દઇએ કે કેપ્ટન નિલેશ સોનીએ માત્ર 25 વર્ષની ઉમંરે દેશ માટે પોતાના પ્રાણ આપી દીધા હતા. જેમા તેઓ સિયાચીન રણભૂમીની ચંદન પોસ્ટ પર પાકિસ્તાની સેના સામે લડી રહ્યા હતા. જોકે લડતા લડતા તેઓ શહીદ થઈ હયા હતા. જેથી તેમના માનમાં હવે પાલડી વિસ્તારમાં આવેલ શાળાનું નામ તેમના નામે કરી દેવામાં આ્યું છે.
મનપાનો નિર્ણય સૌ કોઈએ આવકાર્યો
ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને સૌ કોઈ આવકારી રહ્યા છે. ખાસ કરીને લોકોએ મનપાના આ નિર્ણય શહિદ જવાનોની યાદ માટે સૌથી શ્રેષ્ઠ ગણાવ્યો છે. જેથી ટૂંક સમયમાં મનપા દ્વારા અન્ય શાળાઓના નામ પણ બદલવામાં આવી શકે છે.