અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શાસકપક્ષ અને કમિશનર વચ્ચે ગજગ્રાહ શહેરના ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેનનો ફોન ડે. એસ્ટેટ ઓફીસર દ્વારા ઉપાડવામાં ન આવ્યા બાદથી શરૂ થયો હતો. જેને લઇને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના ગૃહમંત્રીને આ આંગે રજૂઆત કરવામાં આવશે.
કમિશનર અને અધિકારીઓ શાસક પક્ષને ગાઠતાં નથી
મ્યુનિ. કમિશનરની બદલી કરાવાવ CM અને ગૃહમંત્રીને રજૂઆત કરાશે
બે વર્ષમાં શાસક પક્ષને લીધા વગર કરાયેલા કામો રજૂ કરાશે
અમદાવાદ મ્યૂનિસિપલ કમિશનર દ્વારા તમામ ડેપ્યૂટી કમિશનરને કોંગ્રેસનું આવેદન પત્ર સ્વીકારવાની ના પાડતા મ્યુનિ. ભાજપના હોદેદદારો દ્વારા શાસકપક્ષને ન ગાઠતાં એવા કમિશનર અને અધિકારીઓ વિરુદ્ધ મુખ્યમંત્રી-ગૃહમંત્રી સહિત મોવડીમંડળના નેતાઓ સમક્ષ રજૂઆત કરી સામાન્ય ચૂંટણીનું વર્ષ હોય સારા નવા કમિશનર મુકવા રજૂઆત કરશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ શાસક પક્ષ તેમજ વિપક્ષનો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. શહેરના મેયર સહિત ભાજપના અન્ય પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓને મળવાનો સમય માગ્યો છે. સમય મળ્યા બાદ તેઓ મ્યુનિ. કમિશનર વિજય નહેરા વિરુદ્ધ રજૂઆતી કરી ચૂંટણના વર્ષ માં સારા મ્યુનિસિપલ કમિશનરને મુકવાની રજૂઆત કરશે.