અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટ રદ થતા મુસાફરો અટવાયા હતા. સ્પાઈસ જેટની સી.જી. 638 અમદાવાદથી મુંબઈની ફ્લાઈટ રદ થતા 70થી વધુ મુસાફરો અટવાયા હતા. જેમાં કલાકો સુધી ઓથોરિટીએ કોઈ નિર્ણય ના લેતા મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો પણ મચાવ્યો હતો.
સ્પાઈસ જેટનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટ રદ થતા મુસાફરો અટવાયા હતા. સ્પાઈસ જેટની સી.જી. 638 અમદાવાદથી મુંબઈની ફ્લાઈટ રદ થતા 70થી વધુ મુસાફરો અટવાયા હતા. જેમાં કલાકો સુધી ઓથોરિટીએ કોઈ નિર્ણય ના લેતા મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો પણ મચાવ્યો હતો.
ઓથોરિટીની નિષ્ક્રિયતા સામે મુસાફરોનો રોષ સામે આવ્યો અને ભારે હોબાળો પણ મચાવ્યો હતો. મુસાફરો દ્વારા કરવામાં આવેલા ભારે વિવાદ બાદ આખરે તંત્ર દ્વારા બીજી ફ્લાઈટની વ્યવસ્થા પણ કરવામાં આવી. જો કે વિદેશ જતા મુસાફરોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વિદેશ જતાં મુસાફરોને આગળની કનેક્ટિંગ ફલાઇટ ચૂકી જવાથી તંત્ર દ્વારા તેઓને બીજા દિવસની ફ્લાઈટ અપાતા વિદેશ જતા મુસાફરોને ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફલાઇટ રદ્દ થવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
જો કોઇ મુસાફરને અગત્યનું કામ હોય તો તે અટકી પડે છે ત્યારે ફલાઇટ રદ્દ થવા મામલે તંત્ર દ્વારા આ અંગે અગાઉ જાણકારી આપવી જોઇએ અથવા તેને લઇને અન્ય ફલાઇટની વ્યવસ્થા કરવી જોઇએ જેને લઇને મુસાફરોને કોઇ તકલીફ ના પડે.