ન્યાયમૂર્તિ ધાનુકા અને સથાયેની ખંડપીઠે કહ્યું કે પ્રોજેક્ટ પોતાનામાં જ અનન્ય છે અને ખાનગી હિત કરતાં તે સાર્વજનિક હિતને મહત્વ આપનારો છે...
બોમ્બ હાઈકોર્ટમાં બુલેટ ટ્રેનને લઈને નિર્ણય
કોર્ટે ગોધરેજ એન્ડ સન્સની અરજી ફગાવી
આ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય મહત્વનાં છે- હાઈકોર્ટ
બોમ્બે હાઈકોર્ટે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર સરકાર અને NHSRCL દ્વારા મુંબઈનાં વિખરોલી ક્ષેત્રમાં શરૂ કરવામાં આવેલા ભૂમિ અધિગ્રહણ સામે ગોધરેજ એન્ડ સન્સ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી જેને ગુરુવારે ફગાવી દેવામાં આવી. કોર્ટે કહ્યું કે આ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય મહત્વનાં છે અને જનતાની ભલાઈ માટે છે. ન્યાયમૂર્તિ ધાનુકા અને સથાયેની ખંડપીઠે કહ્યું કે આ પ્રોજેક્ટ અનન્ય છે અને સાર્વજનિક હિતને મહત્વ આપનારું છે.
[Bullet Train Project]
In the detailed judgement dismissing Godrej & Boyce's plea against acquisition of its Vikhroli plot for the project, the #BombayHighCourt said it is an "infra project of public importance which is a dream project of this country and first of its kind." pic.twitter.com/E4W7VvuoFv
વિખરોલીમાં ગોધરેજની જમીન છે
મુંબઈથી અમદાવાદની વચ્ચે કુલ 508.17 કિ.મી.નાં રેલ પાટાઓમાંથી 21 કિલોમીટર અંડરગ્રાઉન્ડ રહેશે. આ અંડરગ્રાઉન્ડ ટનલનું એન્ટ્રી પોઈન્ટ વિખરોલીમાં ગોધરેજની જમીનમાં પડે છે. રાજ્ય સરકાર અને નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે દાવો કર્યો હતો કે કંપનીનાં કારણે સમગ્ર યોજનામાં મોડું થઈ રહ્યું છે જ્યારે યોજના જનતા માટે મહત્વપૂર્ણ છે.
સરકારે હાઈકોર્ટને આપ્યાં ઉત્તર
સરકારે હાઈકોર્ટને જણાવ્યું હતું કે ગોધરેજ એન્ડ બૉયઝ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડનાં વિખરોલી વિસ્તારમાં સ્થિત ક્ષેત્ર છોડીને યોજનાનાં તમામ માર્ગ માટેનું અધિગ્રહણ કામ સંપન્ન થઈ ચૂક્યું છે.
સરકાર પહેલાં જ આપી ચૂકી છે વળતર
રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે 2022નાં ઑક્ટોબરમાં જ તેમણે કંપનીને 264 કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. ગોધરેજ એન્ડ બોયઝે વળતર આપ્યાંનાં મહારાષ્ટ્ર સરકારનાં 15 સપ્ટેમ્બર 2022નાં આદેશને પડકારતી અરજી દાખલ કરી હતી.