અમદાવાદના સાંસદ પરેશ રાવલ જયસંચય યોજનાનુ નિરિક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપના કાર્યકરોમાં સફાઈના કામમા નહી પરંતુ સેલ્ફી લેવામા ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરો સમસ્યાને ભુલી ગયા હતા અને સેલ્ફી લેવામા વ્યસ્ત થયા હતા.
મહત્વનુ છે કે પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકો સમસ્યાના કારણે પરેશાન છે. ત્યારે હવે સાંસદ અને અભિનેતા પરેશ રાવલ જળસંયચ યોજનાનુ નિરિક્ષણ કરવા માટે આવતા ભાજપના કાર્યકરો સેલ્ફી લેવામા વ્યસ્ત જોવા મળ્યા હતા.
શહેરની ઉડતી મુલાકાતે આવેલા સાંસદ પરેશ રાવલે અમદાવાદ પૂર્વના વટવા વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલનું નિરીક્ષણ કર્યું હતું. ખારીકટ કેનાલમાં જામેલા ગંદકીના થર વિશે માહિતી મેળવીને કોર્પોરેશનના અધિકારીઓને સફાઈ અંગે માહિતી આપીને પોતાનું સાંસદપણું સાર્થક થયું હોવાનું ગૌરવ અનુભવ્યુ હતું.
પરેશ રાવલનો આ કાર્યક્રમ લોક સમસ્યા નિકાલ માટેનો કાર્યક્રમ બનવાને બદલે માત્ર જશ ખાંટીયો ફોટો સેશનનો કાર્યક્રમ બની ગયો. આ કાર્યક્રમ દરમિયાન સમસ્યાનું ઠોસ સમાધાન રજૂ કરવાને બદલે પ્રચાર ભૂખ્યા ભાજપના કાર્યકરો સેલ્ફી લેવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.