અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ જે સુરક્ષાની દ્રષ્ટિએ પ્રખ્યાત છે. પણ હવે આ જેલ કોલસેન્ટર બની ગઈ છે. કારણ કે અહીં કેદીઓ પાસેથી વારંવાર મોબાઈલ મળી આવવાની ઘટના બની રહી છે. ત્યારે વધુ એક વાર જેલ તંત્ર વિવાદમાં આવ્યું છે. જેલમાંથી બે મોબાઈલ મળી આવ્યાં છે. આ મામલે ઝડતી સ્ક્વોડે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે રાણીપ પોલીસ હવે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઇએ કે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અવારનવાર વિવાદમાં સપડાતી હોય છે. કારણ કે જેલમાંથી અવારનવાર મોબાઇલો મળી આવતા હોય છે અથવા તો ક્યારેક કોઇ કેદી જો ફરાર થઇ જાય તો પણ જેલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે. આગળની ઘટનાની વાત કરીએ તો હજી થોડાંક દિવસો પહેલાં જ કાચા કામનાં બે કેદીઓ પાસેથી મોબાઇલ, બેટરી અને સીમકાર્ડ મળી આવ્યાં હતાં. જેથી તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં વિજય પરમાર અને અબ્બાસ કચરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જો કે આ ઘટના બાદ જેલ તંત્ર વિરુદ્ધ પણ સવાલો ઉઠી રહ્યાં છે. વારંવાર સાબરમતી જેલમાંથી આખરે કેમ મોબાઈલ મળી આવે છે ત્યારે સવાલ એ પણ છે કે શું તેમાં જેલનાં જ કોઈ અધિકારી કે કોઈ કર્મચારી સંડોવાયેલ છે. કારણ કે જેલમાં મોબાઈલ તો જેલનાં મુખ્ય દ્વારથી જ પ્રવેશવાનો છે. તો શું જેલનાં જ કોઈ પોલીસકર્મીની આમાં સંડોવણીની છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ.