અમદાવાદીઓને PMએ આપી મેટ્રો ટ્રેનની ભેટ, VTV પર સૌપ્રથમ જૂઓ વસ્ત્રાલથી થલતેજ સુધીના રૂટની મેટ્રો ટ્રેનની સફર
મેટ્રો ટ્રે માંથી અમદાવાદનો પ્રથમ નજારો
મેટ્રો ટ્રેનથી સાબરમતીનો અદભુત નજારો
કાલુપુર, શાહપુર, ઘી કાંટા, કાંકરિયા ઇસ્ટ પર અંડર ટનલ
90 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે મેટ્રો ટ્રેન
PM મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા જેમાં અમદાવાદને વંદે ભારત એક્સપ્રેસ અને મેટ્રોની સૌગાત આપી હતી. PM મોદી ગાંધીનગર સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને ફ્લેગ ઓફ આપી કાલુપુર મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા. જ્યા તેમણે મેટ્રો કોરિડોર 1 અને 2નું લોકાર્પણ કર્યુ હતુ. સામાન્ય લોકો માટે 2 ઓક્ટોબરથી કાલુપુરથી થલતેજ અને 6 ઓક્ટોબરથી APMCથી મોટેરા સુધીના રૂટનો પ્રારંભ થશે.
ટિકિટ કેવી રીતે લેશો?
કાલુપુર મેટ્રો સ્ટેશનની અંદર પ્રવેશતા જ સૌ પ્રથમ તમને સુસ્વાગતમ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનો બોર્ડ જોવા મળશે. મેટ્રો સ્ટેશનની અંદર પ્રવેશતા જ તમારે સૌ પ્રથમ 3 ટિકિટ કાઉન્ટર પરમાંથી કોઇ એક કાઉન્ટર પરથી ટિકિટ મેળવવાની રહેશે. સેન્ટ્રલ ACની સાથે સાથે દિવ્યાંગો માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા મેટ્રો સ્ટેશન ખાતે કરવામાં આવી છે. મેટ્રો સ્ટેશન ખાતે દિવ્યાંગ મુસાફરો માટે અલગથી શૌચાલય, લિફ્ટ, એન્ટ્રી પોઇન્ટ અને ફૂટ પાથ બનાવાયો છે તો સિનિયર સિટિઝનોને ફર્સ્ટ ફ્લોરથી ગ્રાઉન્ડ ફ્લોરના પ્લેટફોર્મ સુધી પહોંચવા દાદરા ઉતરવા ન પડે તે માટે લિફ્ટની વ્યવસ્થા રાખવામાં આવી છે. ફર્સ્ટ ફ્લોર પર ટિકિટ મેળવી સિક્યુરિટી ચેકિંગ બાદ મુસાફરોએ પ્લેટફોર્મ સુધી જવા એક્સિલેટર અથવા દાદરાની મદદથી પહોંચી શકાશે જ્યા મેટ્રો તમારી રાહ જોઇ રહીં હશે.
દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વ્યવસ્થા
મેટ્રો સ્ટેશનમાં પ્રવેશતા ટિકિટ માટે 3 કાઉન્ટર મુકવામાં આવ્યા છે જેમાંથી એક કાઉન્ટર અલગથી દિવ્યાંગ મુસાફરો માટે રખાયુ છે જેથી સામાન્ય જનતા માટે 2 કાઉન્ટર રહેશે કે જ્યાથી તેઓ ટિકિટ મેળવી શકશે પરંતુ તમારે કતારમાં ઉભુ ન રહેવુ હોય અને ઓનલાઇન ટિકિટ જોઇતી હોય તો તેના માટે પણ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઇન ટિકિટ જનરેટ કરવા માટે એક TVM મશીન પણ મુકાયુ છે કે જેમાં તમે જરૂરી ઓપ્શન પસંદ કરી તમારી ટિકિટ ટોકન જનરેટ કરી શકશો. અહીં એક વાત ધ્યાનમાં રાખવી એ પણ મહત્વની છે કે એન્ટ્રી સમયે ટોકન સ્કેન કર્યા બાદ ગંતવ્ય સ્થાન પર પહોંચ્યા બાદ સ્ટેશન એગ્ઝિટ થવા માટે જે ડૂર ઓપન કરવાનું છે ત્યા ટોકન ડ્રોપ કર્યા બાદ જ બહાર નીકળી શકશે એટલા માટે જનરેટ કરેલ ટોકન ટિકિન સાચવવી જરૂરી છે.
ઇમરજન્સી કોલથી કંટ્રોલ અધિકારી સાથે મુસાફર સીધી વાત કરી શકશે
ફર્સ્ટ ફ્લોર પર ટિકિટ અને સિક્યુરિટી ચેકિંગ બાદ મુસાફરો ગ્રાઉન્ડ ફ્લોર પરના પ્લેટફોર્મ સુધી પહોંચી શકશે. પ્લેટ ફોર્મને પણ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યુ છે. સિનિયર સિટિઝનો અને દિવ્યાંગ મુસાફરો પ્લેટફોર્મ સુધી પહોંચી શકે તે માટે લિફ્ટ પણ મુકવામાં આવી છે. પ્લેટફોર્મ ખાતે 2 પ્લેટફોર્મ રાખવામાં આવ્યા છે. પ્લેટફોર્મ ખાતે મુકવામાં આવેલા ગ્લાસના દરવાજા મેટ્રોના ટ્રેનના પ્લેટફોર્મ આગમન સમયે જ ખુલશે. પ્લેટફોર્મ ખાતે દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ ફૂટ પાથ બનાવાયો છે જેની મદદથી દિવ્યાંગ મુસાફરો કોચ 1માં સુધી પહોંચી શકશે તો સાથે સાથે એક ઇમરજન્સી કોલનું બટન પણ રાખવામાં આવ્યુ છે જે બટન દબાવતા જ કંટ્રોલ અધિકારી સાથે મુસાફર સીધી વાત કરીને પોતાનો પ્રશ્ન કે મુશ્કેલી જણાવી શકશે. પ્લેટફોર્મ પર એક ટીવી સ્ક્રીન પણ મુકવામાં આવી છે જે તમને આગામી સ્ટેશન, ટ્રેનમાં રહેલા કોચ અને પ્લેટફોર્મ પર મેટ્રો ક્યારે પહોંચશે એ તમામ વિગતો દર્શાવશે.