દિવાળી પહેલાં અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો વધુ એક રૂટ શરૂ થઇ જશે. જેના લીધે અમદાવાદીઓને ટ્રાફિકમાંથી વધુ એક રાહત મળશે. ફેઝ-1 બાદ હવે ફેઝ-2ના રૂટથી ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડવાની શરૂ થઇ જશે.
હવે મેટ્રો ફેઝ-2ના રૂટથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો
ફેઝ-2 માટે 1700 કરોડના એગ્રીમેન્ટ પર સિગ્નેચર
ફેઝ-2ને લઈ ફ્રેન્ચ રાજદૂતે ટ્વિટ કરીને આપી માહિતી
અમદાવાદ મેટ્રો ફેઝ-1નો રૂટ શરૂ થયા બાદ હવે મેટ્રો ફેઝ-2ના રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે. એટલે કે હવેથી મેટ્રો ટ્રેન ફેઝ-2ના રૂટથી ગાંધીનગર સુધી દોડશે. કારણ કે મેટ્રો ફેઝ-1 શરૂ થયા બાદ હવે મેટ્રો ટ્રેનના ફેઝ-2 માટેના એગ્રીમેન્ટ કરી દેવાયા છે. ફેઝ-2 માટે ફ્રેન્ચ ડેવલપમેન્ટ સમર્થિત એજન્સી દ્વારા રૂ.1700 કરોડથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ પર ગઇકાલે સિગ્નેચર કરવામાં આવ્યા છે. જે અમદાવાદીઓ માટે ખરેખર ખુશીની વાત છે.
Proud to witness signing of #Ahmedabad metro Phase-II agreement! Backed by French Development Agency’s financing of over ₹1700 crores, Phase II will expand the metro towards #Gandhinagar. A crucial clean mobility project for fast-growing #Gujarat! pic.twitter.com/7xvStwu7Ux
મેટ્રો ટ્રેનના ફેઝ-2 માટે રૂ.1700 કરોડના એગ્રીમેન્ટ પર કરાયા સિગ્નેચર
તમને જણાવી દઇએ કે, ગઈકાલે ગાંધીનગર ખાતે સિગ્નેચર સમારોહ યોજાયો હતો. જે દરમ્યાન ફેઝ-2 માટેના રૂ.1700 કરોડથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ પર સહી કરવામાં આવી હતી. આ અંગે ખુદ ફ્રેન્ચ રાજદૂતે ટ્વિટ કરીને માહિતી આપી હતી. ફ્રેન્ચ રાજદૂતે મેટ્રો સાઈટની પણ વિઝિટ કરી હતી.
6 ઓક્ટોબરે ફેઝ-1નો મોટેરાથી વાસણા APMCનો રૂટ શરૂ કરાયો હતો
ઉલ્લેખનીય છે કે, તારીખ 6 ઓક્ટોબરના રોજ ફેઝ-1ના ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતો મોટેરા સ્ટેડિયમથી વાસણા APMC સુધીની મેટ્રો ટ્રેનનો રૂટ શરૂ કરી દેવાયો હતો. વાયુ વેગે દોડતી આ મેટ્રો ટ્રેનમાં મોટેરા સ્ટેશનેથી બેસતાં જ સૌથી પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો અદભુત નજારો ટ્રેનમાંથી જોવા મળી રહ્યો છે. આ અગાઉ ગત 30 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1ના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા થલતેજથી વસ્ત્રાલ ગામના રૂટ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે ઉત્તર દક્ષિણ રૂટ શરૂ થઈ જતાં હવે અમદાવાદમાં સંપૂર્ણપણે મેટ્રો ટ્રેન દોડતી થઈ ગઈ છે.