અમદાવાદમાં અમરાઈવાડીથી દોડતી મેટ્રો ટ્રેન ખોટકાઇ હોવાની ઘટના સામે આવી હતી. ન્યુ કોટનથી દોડતી મેટ્રો ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. જેના કારણે ટ્રેન રોકી દેવામાં આવી હતી.
અમદાવાદ પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ધાટન કરવામાં આવેલી મેટ્રો ટ્રેન ફરી એક વખત ખોટવાતા મુસાફરો બે કલાક સુધી હેરાન થયા હતા. અમરાઈવાડીથી દોડતી મેટ્રો ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા બે કલાક સુધી ટ્રેનને રોકી દેવામાં આવી હતી.
ન્યુ કોટનથી દોડતી મેટ્રો ટ્રેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા બે કલાકથી ટ્રેન સ્ટોપ પર રોકી દેવામાં આવી હતી. જેને લઈને ટ્રેનમાં મુસાફરી કરવા જતા પેસેન્જરોને પણ રોકવું પડ્યું હતું. તો ટેક્નિકલ ખામીને દૂર કરવા ટેક્નિશયનોની ટીમ કામે લાગી હતી. ટેક્નિશયનો દ્વારા ખામી દુર કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહત્વનું છે કે, પ્રધાનમંત્રી મોદી દ્વારા 4 માર્ચના રોજ અમદાવાદ મેટ્રો ટ્રેનના ફેઝ-1નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઇને આજ સુધીમાં કુલ ત્રણ વખત મેટ્રો ટ્રેન ખોટકાઇ છે. જેમાં 7મી માર્ચના રોજ એસ બંધ થતા મેટ્રો રોકવામાં આવી હતી. ત્યારબાદ 13 માર્ચના રોજ ટેકનિકલ ખામી સર્જાતા મેટ્રો રોકવી પડી હતી. ત્યારે હવે ફરી કોઇ ખામી સર્જાતા ટ્રેનને રોકી દેવામાં આવી હતી.