અમદાવાદમાં મેટ્રો ટ્રેનની શરૂ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તંત્ર પૂર જોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વસ્ત્રાલના મેટ્રો સ્ટેશનનું કામ પૂર્ણ થવા પર પહોંચ્યું છે. તંત્રના કારીગરો 24 કલાક પૂરજોશમાં મેટ્રોની કામગીરી કરી રહ્યા છે.
વસ્ત્રાલમાં સ્ટેશનના શેડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનનું સમગ્ર કામ પૂર્ણ થશે. આ સ્ટેશન માટેની તમામ સાધન-સામગ્રી પણ લાવવામાં આવી છે. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અમદાવાદમાં મેટ્રોનું કામકાજ છેલ્લા કેટલાક સમયગાળાથી પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે વસ્ત્રાલમાં સ્ટેશનના શેડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સાથે જ 24 કલાક અન્ય કામગીરી પણ ચાલું રાખવામાં આવી છે.
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું સંપુર્ણ કામકાજ ડિસેમ્બર માસના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવનાર છે ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી જાન્યુઆરી માસમાં ઉદ્ધાટન કરવા ગુજરાત આવનાર છે.