કોરોનાનાં કહેર વચ્ચે ગુજરાત સરકાર દ્વારા અનલૉક-4ની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી. જેના અંતર્ગત સરકાર દ્વારા અનલૉક-4ની ગાઇડલાઇન અનુસાર હવે સરકારી બસો બાદ મેટ્રો સેવા પણ શરૂ થઇ રહી છે. અમદાવાદમાં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા પુન: શરૂ થશે. મહત્વનું છે કે, લૉકડાઉનને લઇને 25 માર્ચથી મેટ્રો ટ્રેન બંધ કરી દેવામા આવી હતી.
અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાની તૈયારીઓ
અનલૉક-4 ગાઇડલાઇનમાં મેટ્રો ટ્રેનને મળી છે મંજૂરી
દેશભરમાં 167 દિવસ બાદ 7 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન શરૂ થશે
અમદાવાદમાં મેટ્રોનો એક ફેઝ શરૂ થયો છે. જોકે તે નામ માત્રથી જ ચાલે છે. લોકો ફન ટ્રેનની જેમ આ મેટ્રોની મુસાફરી કરે છે. મેટ્રોનાં મોટા ભાગનાં ફેઝનું કામ હજી પણ અમદાવાદમાં ચાલી રહ્યું છે. જેના કારણે માત્ર મેટ્રોનું વસ્ત્રાલ જ સંચાલન થાય છે.
મેટ્રો ટ્રેન સેવાને 16.70 લાખનુ નુકશાન
મેટ્રો ટ્રેનમા વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કની રુપિયા 10ની ટીકીટ છે. તંત્રનુ માનીએ તો મેટ્રો ટ્રેનમાં રોજના 1000 મુસાફરો મુસાફરી કરે છે. જેની પ્રતિદિન દસ હજારની આવક થાય છે. જોકે ટ્રેન બંધ હોવાથી તે આવક થઇ શકી નથી. જેથી મેટ્રો રેલ સેવાને આથી 16.70 લાખ જેટલું નુકસાન થઇ ગયું છે. ત્યારે હવે 167 દિવસ બાદ(7 સપ્ટેમ્બર)થી ફરી મેટ્રો ટ્રેન શરુ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે વસ્ત્રાલ ગામથી એપરલપાર્કના 6.5 કિમીના રુટનુ માર્ચ 2019માં લોકાર્પણ કરવામા આવ્યું હતું.
કોવિડના નિયમોનું કરવામાં આવશે પાલન
કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. વસ્ત્રાલથી એપરલ પાર્ક રૂટ પર મેટ્રો દોડશે. સેવા શરૂ થાય તે પહેલાની કામગીરી આરંભાઈ છે. ટ્રેન, સ્ટેશન સહિતની તમામ જગ્યાએ સેનેટાઈઝેશન શરૂ કરાયું છે. ટ્રેન કોચમાં સોશિયલ ડિસ્ટન્સિંગના સ્ટીકર પણ લગાવવામાં આવી રહ્યા છે.
આ સમય દરમિયાન દોડશે મેટ્રો ટ્રેન
7-8 સપ્ટેમ્બરે દિવસે 11થી 12.10 અને સાંજે 4.25થી 5.10 દરમિયાન જ મેટ્રો દોડાવાશે.