અમદાવાદના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રો પર આખા દેશની નજર છે. ત્યારે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રસ દાખવ્યો હતો. અને આ અંગે ટ્વીટ કર્યુ હતુ.
અમદાવાદ મેટ્રો ટ્રેનની કામગીરી બાબતે CM રૂપાણીની જાહેરાત
શાહપુરથી એપરેલ પાર્ક સુધીની અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ
6.51 કિલોમીટરની ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું
અમદાવાદના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ મેટ્રો પર આખા દેશની નજર છે. અમદાવાદ ગાંધીનગરને જોડવા માટે તૈયાર થનાર મેટ્રોને ઈન્ટરનેશનલ લૂક આપવાની કોશિશ કરવામાં આવી રહી છે અને ગુજરાતની રાજધાની ગાંધીનગર અને આર્થિક રાજધાની અમદાવાદને વધુ હાઈટેક બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાત મોડેલ પરથી જ ભારતમાં અન્ય રાજ્યોમાં વિકાસ કરાઈ રહ્યો હોવાની પણ વાત થઈ રહી છે ત્યારે આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રસ દાખવ્યો હતો.
CM વિજય રૂપાણીએ ટ્વીટ કરીને આપી જાણકારી
અમદાવાદ મેટ્રો ટ્રેનની કામગીરી બાબતે CM રૂપાણીએ ટ્વીટ કરીને માહિતી આપી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, શાહપુરથી એપરેલ પાર્ક સુધીની અંડરગ્રાઉન્ડ ટનલનું કામ પૂર્ણ થઈ ગયુ છે. 6.51 કિલોમીટરની ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
Tunnelling works in the 6.51 km underground section between Apparel Park and Shahpur of the metro completed for upline on 12.08.2020 and downline at 1200 hrs today. With this Gujarat Metro achieves a major milestone in its mission of providing MRTS to citizens of Ahmedabad. pic.twitter.com/5iwGcerQBS