હજારો અમદાવાદીઓ ચાતકડોળે મહત્વકાંક્ષી મેટ્રો રેલવે પ્રોજેકટના પહેલા તબક્કાની પૂર્ણતાની રાહ જોઇ રહ્યા છે. અત્યારે વસ્ત્રાલ ગામથી એપરેલ પાર્ક સુધી પાઇલટ પ્રોજેકટ પર ૬.પ કિ.મી.ના રૂટ પર મેટ્રો રેલવે દોડી રહી છે. જોકે સપ્ટે.ર૦રર સુધીમાં મેટ્રો રેલનો પહેલો તબક્કો ધમધમતો થઇ જશે.
અમદાવાદમાં ક્યાં નહિ બને સ્ટેશન
અત્યાર સુધી કેટલું થયું કામ
થલતેજ વિસ્તારમાં મેટ્રો રેલવેના નિર્માણ કાર્યથી રહેણાક વિસ્તારની જમીનમાં મોટી કપાત થતી હોઇ તેની સામે સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો હતો. જેના કારણે તંત્ર કૂણું પડીને નવી ડિઝાઇન તૈયાર કરી છે. આ નવી ડિઝાઇન હેઠળ થલતેજમાં મેટ્રો રેલવેનું સ્ટેશન બનવાનું નથી કે જે અગાઉ બનનાર હતું.
જાણકાર સૂત્રો કહે છે પશ્ચિમમાં થલતેજથી પૂર્વમાં વસ્ત્રાલ અને ઉત્તરમાં મોટેરાથી દક્ષિણમાં એપીએમસી માર્કેટ વાસણા સુધીનો પહેલા તબક્કાનો ૩૭ કિ.મી.નો રૂટ સપ્ટે.ર૦રર સુધીમાં તૈયાર થઇ જશે. મેટ્રો રેલવેના પહેલા તબક્કા હેઠળના ૩૭ કિ.મી.ના રૂટમાં તંત્ર દ્વારા ૧૩૦ એન્ટ્રી અને એક્ઝિટ પોઇંટ ઊભા કરાયાં છે. મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળા દ્વારા ૧૦૦ પોઇન્ટ માટે પૂરતી જગ્યા ફાળવાઇ હોય પ્રોજેકટનું કામ અગાઉની તુલનાએ વધારે ઝડપી હાથ ધરાઇ રહ્યું છે. જેના કારણે કન્સ્ટ્રકશન કાર્ય પણ વધુ સરળ બન્યું છે.
અમદાવાદ, ગાંધીનગર મેટ્રો રેલનું કામકાજ પણ ગતિશીલ બન્યું છે. આ મહિનાના અંત સુધીમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના કન્સ્ટ્રકશન વર્ક માટેનાં ટેન્ડર બહાર પડશે. મોટેરાથી ગાંધીનગર ચ-૦ વચ્ચે મેટ્રો રેલવે દોડતી કરવાના ચક્રો ગતિમાન કરાયાં છે. એક અંદાજ મુજબ પહેલા તબક્કાના પ્રોજેકટ પાછળ કુલ રૂ.૧૦,૭૭૩ કરોડ ખર્ચાશે જે પૈકી થલતેજથી વસ્ત્રાલના ર૦.પ૩૬ કિ.મી. લાંબા રૂટના નિર્માણ પાછળ રૂ.૬૬૮૧ કરોડ અને ૧૭.ર૩ કિ.મી. લાંબા મોટેરાથી એપીએમસી વાસણા સુધીના રૂટ પાછળ રૂ.૩૯૯૪ કરોડ ખર્ચાશે.
ભારત સરકારના ઇક્વિટી ફંડથી રૂ.૧,૯૯૦ કરોડ રાજ્ય સરકારના ઇક્વિટી ફંડથી રૂ.૧૯૯૦ કરોડ અને અન્ય એજન્સીઓથી રૂ.૭ર૭ કરોડ અને અન્ય રીતે કુલ રૂ.૬૦૬૬ કરોડ મેળવાશે. દરમ્યાન થલતેજથી વસ્ત્રાલ રૂટ પર સામાન્ય પરિવર્તન કરાયું છે. જેનાથી ઓછામાં ઓછો રહેણાક વિસ્તાર મેળવવાનો થશે. થલતેજમાં કોઇ સ્ટેશન નહીં બનાવાય પરંતુુ નવી ડિઝાઇન મુજબ હયાત રોડ પર મેટ્રો રેલવેનો ટ્રેક ઊભો કરાશે.