ગુજરાતમાં ઓક્સિજનની અછતના પગલે AMA દ્વારા સરકારને પત્ર લખી રાજ્યમાં ઉત્પાદિત થતા 100 ટકા ઓક્સિજનને હોસ્પિટલોમાં સપ્લાઈ કરવાની કરી માગણી
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન અછત
અમદાવાદ મેડિકલ એસોસિએશનનો CMને લખ્યો પત્ર
રાજ્યમાં ઓક્સિજનની કમી હોવાનો પત્રમાં ઉલ્લેખ
AMAએ સરકારને પત્ર લખીને ઓક્સિજનની ઘટ મુદ્દે રજૂઆત કરી છે. અમદાવાદ સહિત ગુજરાતની તમામ હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સામે આવી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને પણ ઓક્સિજનની જરૂરીયાત વધી રહી છે. તેની સામે ઓક્સિજનની રોજની સપ્લાય ઘટી રહી છે.
જેને લઈ અમદાવાદ મેડિકલ એસોસિએશનનો CMને પત્ર લખ્યો છે. રાજ્યમાં ઓક્સિજનની ઘટ હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સાથે અપીલ પણ કરી છે કે, રાજ્યમાં ઉત્પાદિત થતા 100 ટકા ઓક્સિજનને હોસ્પિટલોમાં સપ્લાઈ કરવાની માગણી કરી છે. હાલ રાજ્ય સરકારે 60 ટકા ઓક્સિજન જથ્થો રિઝર્વ રાખ્યો છે. અને જો ઓક્સિજનનો પુરતો જથ્થો મળશે નહીં તો દર્દીઓના મોતની સંખ્યામાં વધારો થઈ શકે છે. સાથે AMA પ્રમુખે જણાવ્યું કે, ઓક્સિજનની ઘટના કારણએ દર્દીઓના મોત થાય છે. જેના કારણે ડૉકટરો અને દર્દીના પરિવારજનો વચ્ચે ઘર્ષણ સર્જાય છે.
ઈંજેક્શન અને ઑક્સીજન પર હાઇકોર્ટને આપી ખાતરી
સરકાર દ્વારા હાઇકોર્ટમાં ઈંજેક્શન મુદ્દે પણ જવાબ આપવામાં આવ્યો છે જેમાં સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કાળાબજારી પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઑક્સિજન મુદ્દે 17 એપ્રિલ બાદ અછત નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી છે. સરકારે જણાવ્યું કે ઑક્સીજનનું ઉત્પાદન 900 મેટ્રીક ટનથી વધારી 1100 મેટ્રીક ટન કરવામાં આવ્યું છે.
લગ્ન અને મરણ માટે હાઇકોર્ટના સૂચન બાદ સરકારે લીધો નિર્ણય
હાઇકોર્ટ દ્વારા સુઓમોટો કેસમાં સુનાવણી દરમિયાન સૂચન કરવામાં આવ્યું હતું કે લગ્નમાં વધુમાં વધુ લોકોને એકઠા થવા પર લિમિટ 50 કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે લગ્ન મરણ પ્રસગમાં 50 લોકોની હાજરીની જાહેરાત કરી દેવામાં આવી છે.