અમદાવાદમાં રાત્રી કર્ફ્યુમાં મેયરના દિયરની વગ ઉડીને આંખે વળગી રહી છે. મેયરના દિયરનો ફૂડ સ્ટોલ મહામારી સમયે પણ રાત્રી દરમિયાન ધમધમે છે.
અમદાવાદના મેયરને નથી કોઈ પૂછનાર?
મેયરના દિયર પ્રતિક પોચીયા સામે તંત્ર લાચાર
રાત્રિ કર્ફ્યૂમાં પણ ધમધમે છે મેયરના દિયરનો ફૂડસ્ટોલ
મેયરના દિયર પ્રતિક પોચીયા સામે તંત્ર લાચાર અનુભવી રહ્યુ છે. હાલ અમદાવાદમાં કોરોનાના કેસ અને કોરોનાના મોત કૂદકેને ભ્રૂસકે વધી રહ્યા છે. ત્યારે મેયરના દિયર બેરોકટોક પાલડી ગામમાં રાત્રી કર્ફ્યૂમાં પણ ફૂડ કોર્ટ ચલાવે છે. એટલું જ નહીં પણ અહીં કાયદેસર કર્ફ્યૂમાં પણ ભીડ જામે છે. ત્યારે પ્રશ્ન થાય કે સામાન્ય લોકો સામે કડક કાર્યવાહી કરતું તંત્ર કેમ લાચાર?
સળગતા સવાલ
અમદાવાદના મેયરને નથી કોઈ પૂછનાર?
શું મેયરના દિયરને લાગુ નથી પડતો રાત્રિ કર્ફ્યૂ?
રાત્રિ કર્ફ્યૂમાં પણ મેયરના દિયરને લીલાલ્હેર?
રાત્રિ કર્ફ્યૂમાં તંત્રના કેમ છે આંખ આડા કાન?
મને અને તમને પડે દંડા, મેયરના દિયરના કંઈ નહી?
રાત્રિ કર્ફ્યૂમાં પણ કેમ ધમધમે છે મેયરના દિયરની ફૂડકોર્ટ?
અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?
અમદાવાદમાં સતત 15 દિવસથી 300 કરતા વધુ કેસ નોંધાયા છે. ગઇકાલે અમદાવાદ શહેરમાં 298 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં 34 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા તંત્રની ચિંતા વધી છે. રાત્રી કર્ફ્યૂ છતાં સંક્રમણમાં ઘટાડો નથી થઈ રહ્યો. કોરોનાથી મોતનો આકંડો પણ ડરામણો ચે. અમદાવાદમાં ગઇકાલે 13 લોકોના કોરોનાથી નિધન
થયા છે. અમદાવાદમાં કોરોનાથી કુલ 2087 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. છેલ્લા 14 દિવસમાં અમદાવાદમાં 145 લોકોના મોત થયા છે.
સિવિલ હોસ્પિટલમાં 330 કર્મચારીઓ કોરોના સંક્રમિત
કોરોના દર્દીઓની સારવાર કરતા વોરિયર્સ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. અમદાવાદમાં 9 મહિનામાં 480 ડોક્ટર્સ કોરોના સંક્રમિત થયા છે. દિવાળી બાદ સિવિલ હોસ્પિટલના 50 ડોક્ટર્સ સંક્રમિત થયા હતા. સિવિલ હોસ્પિટલમાં 330 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા