અમદાવાદના મેયર બિજલ પટેલ એકવાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે તેમણે પર્યાવરણ દિવસ નિમિત્તે કોરનાના માઈક્રો ક્ન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા વિસ્તારની પસંદગી કરતા મેયર ભૂગોળ ભૂલ્યા કે શું? જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ઉત્સવો અને ઉજવણીઓમાં મહામારી કેમ ભુલાઈ જાય છે તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
મેયર બિજલ બેન પટેલ કાયમ કે ફસાય છે વિવાદમાં?
પ્રથમ નાગરિક તરીકે નિષ્ફળ છે બેન?
શું છે આખો મામલો?
અમદાવાદમાં AMC ની વધુ એક બેદરકારી સામે આવી છે. માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાતા શહેરીજનોમાં મેયર બિજલ પટેલ ચર્ચાની એરણે ચઢ્યા છે. CM રૂપાણીના હસ્તે વૃક્ષારોપણ કરશે.
નારણપુરા ના મંગલમુર્તિ એપાર્ટમેન્ટમા તુલસીરોપાનો કાર્યક્રમ યોજ્યો છે. 31 મી મે ના રોજ AMC દ્વારા જ મંગલમુર્તિ એપાર્ટમેન્ટ ને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સામાન્ય પ્રશ્ન થાય કે ખુદ AMCનો જ કાર્યક્રમ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કેવી રીતે યોજી શકાય? જ્યારે કે એ ઝોનમાં અવર જવર માટે પણ પરમિશન નથી. શું મેયરને નહીં ખબર હોય કે આ ઉત્સવને ઉજવણીઓ એ કયા વિસ્તારમાં કરી રહ્યા છે?