બેદરકારી / અમદાવાદના મેયરને આગની દુર્ઘટના PMના ટ્વિટ બાદ યાદ આવી અને હોસ્પિટલ દોડી ગયા, ઘટનાને સામાન્ય ગણાવી

Ahmedabad mayor bijal patel LG hospital fire incident PM Modi tweet

અમદાવાદના પીરાણા કાપડ ગોડાઉનમાં આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 12 થયો છે. કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળતા અત્યારસુધી 5 મહિલા અને 7 પુરૂષોના દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. ત્યારે આટલી મોટી દુર્ઘટનાના 8 કલાક બાદ અમદાવાદના પ્રથમ નાગરિક બિજલ પટેલને યાદ આવી. બપોરે બનેલી ઘટના બાદ સાંજના 6 વાગ્યા સુધી ઘરની બહાર નીકળ્યાં નહોતા. પ્રધાનમંત્રી અમદાવાદની આગ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યા બાદ તાત્કાલિક અમદાવાદ મેયરને દુર્ઘટના યાદ આવી અને LG હોસ્પિટલ દોડી ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ