જેમને અમદાવાદના પ્રથમ નાગરિક ગણાય તેવા અમદાવાદના મેયર પ્રચાર પ્રસારમાં અવ્વલ છે તેવું લોકો કહે છે પણ એ પ્રચાર પ્રસારનો અમલ પોતાના માટે પણ હોય છે તે કદાચ મેયર ભૂલી જાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગથઈ લઈને કોરોનાની ગાઈડલાઈન નેતાઓને કદાચ સમજાતી જ નથી, ગઈ કાલે જ મેયરે એક નહીં પણ 5-5 સમારોહમાં હાજરી આપી એટલું જ નહીં. પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાંય ન જાળવીયુ. આવો જાણીએ શું છે મામલો?
સરેઆમ મેયર જ કરે છે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ
શું મેયરને પણ દંડ થશે?
ખાલી પ્રચાર નહી તેનો અમલ પણ કરવાનો હોય
રવિવારે પાલડી વોર્ડમાં અલગ અલગ પાંચ જગ્યાએ યોજાયેલા ચૂંટણીલક્ષી પેવર બ્લોકના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ટોળાં ભેગા કરી 5 વખત સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો.ૉઆ કાર્યક્રમની જાહેરાત પાલડી ભાજપ પરિવારે કરી હતી જેમાં તમામ લોકોને માસ્ક ફરજિયાત પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા કહેવાયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ શાહ અને પાલડી વોર્ડના કોર્પોરેટર ડો. સુજય મહેતા પણ હાજર હતા અને તેમણે પણ નિયમનો ભંગ કર્યો હતો.
આમાં તમે જે મેનિફિસ્ટો જાહેર કરો અને પૂરો ન કરો તો જનતા કદાચ માફ કરી દે પણ કોરોના કોઈ સગાવાદ, જાતીવાદ કે મૂડીવાદ નથી ચલાવતો એટલી સામાન્ય સમજ ભાજપના નેતાઓ કે બીજા કોઈ પણ પક્ષના નેતાઓ કેમ સમજતા નથી? તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
વડાપ્રધાને જનઆંદોલનના ભાગરૂપે ‘દો ગજની દૂરી’ ની શિખામણ દેશવાસીઓને આપી જેને મેયર બીજલ પટેલે પણ લોકો માટે રિ-ટ્વિટ કરી પરંતુ પોતે જ તેનું પાલન કરવાનું ભૂલી ગયા.