રાતના 2 વાગ્યા આસપાસ તલવારોના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉના ઝઘડામાં સમાધાન બાદ અનિષ પાંડે નામના શખ્સે હત્યા કરી હોવાનો આરોપ છે. માયા ડોન વિરુદ્ધ વટવામાં ફરિયાદ નોંધાઈ હતી. ખેડૂત પાસે રૂ.50 લાખની ખંડણી માંગી હતી. અપહરણ અને ખંડણીના અનેક ગુના નોંધાયા હતા. એ સિવાય પણ આસપાસના લોકોને માયાડોનની પજવણી હોવાની ચર્ચાઓ જોર પકડ્યુ છે.
બનેવીએ સાળાને પતાવી દીધો
માયા ડોન અને અનિષ પાંડે સાળો બનેવી હતા તેવું સામે આવ્યું છે. બંને વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી જેમાં બનેવીએ જ સાળાને પતાવી દીધો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.