અમદાવાદના નરોડામાં જુલાઇ માસમાં યુવકે કરેલા આપઘાત મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. પૈસાની ખેંચમાં આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે.
પૈસાની ખેંચમાં આપઘાત કર્યો હોવાનો થયો ખુલાસો
વડતાલ બાકરોલના સ્વામી સામે ફરિયાદ
સ્વામીનારાયણ ગુરૂકુલના સ્વામી અમૃતદાસજી સામે FIR
અમદાવાદના નરોડામાં જુલાઇ માસમાં યુવકે કરેલા આપઘાત મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. પૈસાની ખેંચમાં આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. વડતાલ બાકરોલના સ્વામી સામે ફરિયાદ નોંધાઈ છે. સ્વામીનારાયણ ગુરૂકુલના સ્વામી અમૃતદાસજી સામે FIR નોંધાઈ છે.
મૃતકના ફોઇના દીકરા સામે પણ ફરિયાદ થઈ છે. પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધી. ભક્તોને ટુરમાં લઇ ગયા બાદ યુવકે પેમેન્ટ નહોતું કર્યુ. નેપાળ ટુરનું પેમેન્ટ ન કરતા યુવક નાણાની ભીડમાં હતો. મૃતકે દાગીના ગીરવે મૂકી લોન કરાવી હતી. યુવકે આપઘાત પહેલા સ્યુસાઇડ નોટ-વીડિયો રેકોર્ડિંગ કર્યુ હતું.
અમદાવાદના નરોડામાં રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા યુવકે તેના ફોઈના દીકરા અને નવી મુંબઈ ખાલાપુરની સ્વાિમનારાયણ ગુરુકુળ તથા આણંદ વલ્લભ વિદ્યાનગર ગુરુકુળના અમૃતજીવનદાસ સાથે ૧૭ લાખની લેતીદેતીના લીધે આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મૃતક યુવકના ઘરેથી સ્યુસાઇડ નોટ અને વીડિયો પણ મળી આવતાં નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ સાબરકાંઠાના સિરોહીના મકાવલ ગામે રહેતા અને ખેતીકામ કરતા પ્રવીણભાઈ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં પિનાકિન પટેલ અને અમૃતદાસજી સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પ્રવીણભાઈનો મોટો પુત્ર જૈિમન તેની પત્ની દીપિકા સાથે નરોડાના સ્વાિમનારાયણ ફ્લેટમાં રહેતો હતો અને ઘરેથી જહાન હોિલડે સોલ્યુશન નામથી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતો હતો.
તા.૧૪ જુલાઈના રોજ દીપિકાબહેન અને તેમના પતિ જૈમિનભાઈ ઘરે હાજર હતા ત્યારે બપોરના સમયે બેઠકરૂમમાં જૈમિનભાઈ કામ કરતા હતા ત્યારે ઘઉંમાં નાખવાની સેલફોસ નામની ટેબ્લેટ બાબતે દીપિકાબહેને પતિને પૂછ્યું, પરંતુ તે બાબતે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. થોડી વાર બાદ પતિ એકદમ બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક બાપુનગરની એક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન બીજા જ દિવસે જૈમિનભાઈનું મૃત્યુ થયું હતું. અંતિમવિધિ પૂરી કરી પરિવાર નરોડા ખાતે આવ્યો ત્યારે પરિવારને જૈમિનભાઈની બેગમાંથી એક સ્યુસાઇડ નોટ મળી હતી.
શું લખ્યું છે સ્યસાઈડ નોટમાં?
આ સ્યુસાઇડ નોટમાં તેમણે લખ્યું હતું કે, "મૈં આત્મહત્યા ક્યોં કર રહા હૂં વો મૈં પાપા આપકો બતાના ચાહતા હૂં, મુજે પાપા માફ કર દેના. મેરા ખુદ કા હિંમતનગર મેં ટ્રાવેલ્સ કા બિઝનેસ થા. મેરી ટ્રાવેલ કંપની કા નામ જહાન હોલિડે સોલ્યુશન થા. મૈં મેરી ફઇ કે વહાં રહતા થા ઔર ફઇ કે લડકે પિનાકિન પટેલ કે કારણ અમૃતજીવનદાસ સ્વામી કે સાથ મુલાકાત હુઈ થી. અમૃતજીવનદાસ કો મૈંને મેરે બિઝનેસ કે બારે મેં બતાયા થા.
અમૃતજીવનદાસ ફ્લાઇટ કી ટિકિટ મેરે સે કરવાતે થે ઔર મૈં ઉનસે પૈસે નહિ લેતા થા ઔર મૈંને સ્વામી ભગવાન કા રૂપ હોતે હૈ ઉનસે કયા પૈસે લેના મૈં ઐસા સોચતા થા. બાદ મેં ઉન્હોંને હરિભક્તોં કો નેપાલ લે જાને કે લિયે મેરે સે બુકિંગ કરવાયા ઔર મૈંને ક્વોટેશન ૪૦ લાખ કા દિયા થા. ઉન્હોંને વો પાસ ભી કર દિયા થા. બાદ મેં ઉન્હોંને રર.૮૪ લાખ કા પેમેન્ટ કિયા. જો બાકી થાય વો પેમેન્ટ ગુજરાત આને કે બાદ મેં દેને કા ઉન્હોંને બોલા થા, લેકિન મુજે આગે ભી દેના પડતા હૈ ઇસલિયે વો મંજૂર નહિ થા.
તબ અમૃતજીવનદાસજીને પિનાકિન દે દેગા ઐસા બોલા થા. બાદ મેં ટૂર હુઈ ઔર મેરા પેમેન્ટ નહિ આયા થા. પિનાકિન કો પૂછા તો ઉસને મના કર દિયા કી ઉસકો અમૃતજીવનદાસ ને કુછ નહિ દિયા હૈ. લોગોં સે ઈકઠ્ઠે કરકે મૈંને કુછ વ્યવસ્થા કી ઔર મૈં ડૂબ ગયા, ફિર મૈંને બિઝનેસ બંધ કર દિયા ઔર મૈં અહમદાબાદ આકે જોબ શુરુ કરને લગા. મેરી ફઈ કે એક લડકે ને આત્મહત્યા કી થી, ઉસ સે મૈંને કુછ પૈસે નહિ લિયે થે તબ ભી વો કેસ મેરે પે ચલ રહા હૈ. મેરા એક હી અનુરોધ હૈ કી મેરે હક કા પૈસા મેરે મા-બાપ કો મિલે, તાકી મેરા કરજા ચૂકાને કે લિયે સોના ગીરવી રખા થા વો છૂડા શકે."
આણંદ વલ્લભ વિદ્યાનગર ગુરુકુળના અમૃતજીવનદાસ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી
આ ચિઠ્ઠીમાં લખાણની સાથે જૈમિનભાઈએ આઠ વાર સહી કરી હતી, સાથે-સાથે તેમના મોબાઈલ ફોનમાં બે વીડિયો મળી આવ્યા હતા, જેમાં તેમણે પિનાકિન અને અમૃતજીવનદાસના કારણે તે આપઘાત કરે છે તેવું જણાવ્યું હતું. અમૃતજીવનદાસ પાસેથી ૧૭ લાખ લેવાના નીકળતા હોવાથી તે ડૂબી જતાં તેમણે આપઘાત કર્યો હોવાનું સામે આવતાં અને પોલીસને પુરાવા હાથ લાગતાં નરોડા પોલીસે ઇડરના પિનાકિન પટેલ અને નવી મુંબઈ ખાલાપુરના સ્વામિનારાયણ ગુરુકુળ તથા આણંદ વલ્લભ વિદ્યાનગર ગુરુકુળના અમૃતજીવનદાસ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.