અમદાવાદના થલતેજમાં એક હોટેલ રૂમમાં આશાસ્પદ યુવાને આપઘાત કરીને જીવન ટુંકાવ્યું છે. કહેવાય છે કે વ્યસન અને સટ્ટાની લતને કારણે યુવાને ભરજવાનીએ મોત વહાલું કર્યુ છે.
કેમ કર્યો આપઘાત
શું લખ્યું છે સુસાઈડ
પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી
ચિરાગ પટેલે થલતેજ વિસ્તારમાં આવેલ હોટલ મુકુંદના રૂમ નંબર 610માં બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ચિરાગ પટેલે થલતેજ વિસ્તારમાં આવેલ હોટલ મુકુંદના રૂમ નંબર 610માં બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. જો કે હોટેલના સંચાલકો અને સમગ્ર ઘટનાની જાણ થતા તે પોલીસને આ બાબતની જાણ કરી હતી.
સટ્ટો રમવા ની ટેવના કારણે કર્યો આપઘાત
વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસને મૃતક પાસેથી એક સુસાઈડ નોટ મળી હતી. જે સુસાઇડ નોટમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સટ્ટો રમવા ની ટેવના કારણે તે થાકી ગયો છે. તેનાથી કંટાળીને તે આ પગલું ભરી રહ્યો છે.
શું લખ્યું છે સુસાઈડ
તેણે એ પણ લખ્યું છે કે પોતાને ખબર કેમ ના પડી તે આટલો હોશિયાર થઈને તેણે કેમ આવું પગલું ભર્યું. અમારી મોટી ભૂલ છે મેં જે પગલું ભર્યું મારી રમવાની ના કારણે ભરવું પડ્યું. તેણે સૂસાઇડ નોટમાં પરિવારજનોની માફી પણ માગી છે.અને લખ્યું છે કે મમ્મી રડતી નહીં અને મને કોઈ યાદ પણ ના કરતા સોરી મેં તમારા બધાનું નામ બગાડ્યું છે. મામાનો વિશ્વાસઘાત કર્યો છે. પપ્પા મારા બગડવા પાછળ કોઈનો હાથ નહીં. હું જવાબદાર છું. આજે નહીં તો કાલે મરવાનું જ છે. મારી પાછળ રડતા નહીં.
પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી
આમ પોલીસે તેના પરિવારજનોને જાણ કરતા તેના પરિવારજનો પણ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા. હાલમાં આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.