ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનના પગલે અમદાવાદ શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. શહેરના કુબેરનગર વિસ્તારમાંથી 50 લાખની ચોરી થયાની ઘટના સામે આવી છે. આમ શહેરમાં કોરોના સંકટ વચ્ચેના લોકડાઉનમાં તસ્કરો કહેર વધી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ગુનાખોરોને હવે પોલીસનો ડર રહ્યો નથી? કે પછી શું પોલીસકર્મીઓ જ આરોપીઓને છાવરે છે?
પ્રાપ્ત મળતી વિગત અનુસાર અમદાવાદ શહેરના કુબેરનગરમાંથી 50 લાખની ચોરી થઇ હોવાની વિગત બહાર આવી છે. 50 લાખ રોકડ અને 2.40 લાખના સોનાના દાગીનાની પણ ચોરી થઇ છે. આ ચોરીમાં મકાન વેચાણના 20 લાખ સહિત ધંધાના રોકડ રૂપિયાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે.
શહેરના કુબેરનગરમાં કટલરીના વેપારીના ઘરમાં ચોરી થઇ છે. જો કે ચોરી કરનારા બંને તસ્કકરો CCTV કેમેરામાં કેદ થયા છે. ત્યારે આ ચોરીને લઇને લોકોમાં સવાલ ઉઠી રહ્યાં છે કે આ વિસ્તારમાં પોલીસકર્મીઓ કેમ એક્ટિવ નથી? સરદારનગરમાં પોલીસકર્મીઓ કેમ પેટ્રોલિંગ કરતા નથી?
અમદાવાદના કુબેરનગરમાં 50 લાખની ચોરીના સમાચાર મળતા સરદારનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલમાં પોલીસ CCTV ના ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે.
સળગતા સવાલ
સરદારનગર વિસ્તારમાં પોલીસનો ડર નથી?
ગુનાખોરી વધ્યા બાદ પોલીસે કેમ કાર્યવાહી કરતી નથી?
શહેરના આ વિસ્તારમાં પોલીસકર્મીઓ કેમ એક્ટિવ નથી?
સરદારનગરમાં પોલીસકર્મીઓ કેમ પેટ્રોલિંગ કરતા નથી?
શું પોલીસકર્મીઓ જ આરોપીઓને છાવરે છે?
ગુનાખોરી વધ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ કેમ એક્શનમાં આવતા નથી?