ખંભાતમાં તોફાનને લઈને બંધનું એલાન અપાયું છે. જેને લઇ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આજે ખંભારતમાં શાળા, કોલેજ અને બજાર બંધ રાખી વિરોધ કરાઇ રહ્યું છે. લોકોએ ચોક ટાવર પાસે સ્થાનિકોએ એકત્ર થઇ અને સૂત્રોચ્ચાર કર્યા છે. અને તોફાની તત્વો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. લોકોએ ખંભાતને `પાકિસ્તાન બનતું અટકાવવા તંત્ર જાગે`ના લાગ્યા નારા લાગ્યા અને ધારાસભ્ય મયુર રાવલ વિરુદ્ધ પણ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા છે.
ઓળખાયેલા 45 સહિતના લોકો સામે થઈ ફરિયાદ
ખંભાતમાં 1200થી વધુ હિન્દુ-મુસ્લિમના ટોળા વિરૂદ્ધ રાયોટિંગની ફરિયાદ
શહેરના પાંચ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયા
આણંદના ખંભાતમાં આજે બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે. અસામાજિક તત્વોના ત્રાસને લઈને બંધનું એલાન અપાયું છે. બે દિવસ પહેલા ખંભાતમાં અસામાજિક તત્વોની બબાલ થઈ હતી. અસામાજિક તત્વોએ જિલ્લામાં ઉપદ્રવ મચાવ્યો હતો. આ બબાલના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. હિન્દૂ સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ મામલે તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરાઈ છે.
શું હતી ઘટના?
આણંદ જિલ્લાના ખંભાતમાં લગ્નમાં વીડિયો ઉતારવાની બાબતે કેટલાક અસામાજિક તત્વોએ બબાલ કરતાં લગ્નપ્રસંગના રંગમાં ભંગ પડ્યો હતો. વીડિયો ઉતારવાની બાબતે ઉગ્ર બોલાચાલી બાદ શખ્સોએ તોડફોડ મચાવી હતી. જેના કારણે તંગદિલીઓનો મહાલો સર્જાયો હતો. મામલો એટલો બિચક્યો કે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થિત પર નિયંત્રણ મેળવવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
બન્ને કોમના લોકોએ એક બીજા પર સામ-સામે પથ્થરમારો કર્યો
આણંદના ખંભાત બસ સ્ટેન્ડ પાસે આવેલા અકબરપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. બે કોમ વચ્ચે જૂથ ત્રણ દિવસ પહેલા અગમ્ય કારણોસર અથડામણ થઈ હતી. બન્ને કોમના લોકોએ એક બીજા પર સામ-સામે પથ્થરમારો કર્યો હતો.
ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ
આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ છે. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે 25 રાઉન્ડ ટીયરગેસ છોડ્યા હતા. પોલીસે 6 રાઉન્ડ ફાયરિંગ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી. બે જૂથ વચ્ચે થયેલ અથડામણ CCTV કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે હવે પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથધરી છે.