ફરવાનો પ્લાન બનાવો છો તો તમે IRCTCના અમદાવાદ કેવડિયાની ટૂર બુક કરાવો. 3 દિવસ અને 4 રાતનું આ પેકેજ 30 હજારમાં પડશે.
IRCTC લાવ્યું ખાસ ટૂર પેકેજ
અમદાવાદ -કેવડિયાનો બનાવી લો પ્લાન
3 દિવસ અને 4 રાતના પેકેજની કિંમત 30,200 રૂપિયા છે
IRCTCએ અમદાવાદ અને કેવડિયા માટે 3 દિવસ અને 4 રાતનું એક હવાઈ ટૂર પેકેજ જાહેર કર્યું છે. 23થી 27 માર્ચ સુધી ચાલનારા આ પેકેજમાં મુસાફર દીઠ ભાડુ 30,200 રૂપિયા થશે. જ્યારે બાળકોને માટે આ ભાડું પ્રતિ બાળક 26,500 રૂપિયા થશે.
બુકિંગ થઈ ચૂક્યું છે શરૂ
આ માટે તમને લખનઉના અમૌસી એરપોર્ટથી ફ્લાઈટ મળશે. IRCTCના આ ટૂર પેકેજમાં રહેવાનું, ખાવાનું, નાસ્તો, હોટલ અને સ્થાનિક જગ્યાએ ફરવા માટે બસનું ભાડું પણ સામેલ છે.
કઈ જગ્યાઓએ ફરી શકાશે
અમદાવાદનું અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, સાબરમતી રિવર ફ્ર્ન્ટ, કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી, એકતા નર્સરી, જરવાની વાયરફોલ, કૈક્ટમ ગાર્ડન, બટરફલાય પાર્ક, જંગલ સફાઈનું પણ ભ્રમણ કરવા મળશે. કાનપુર માટે IRCTCના હેલ્પલાઈન નંબર 8287930924- 8287930932-8287930934 પર બુકિંગ માટે સંપર્ક કરી શકાય છે.