અમ્યુઝમેન્ટ પાર્કના કોન્ટ્રક્ટર ઘનશ્યામ પટેલ પર રાજનેતાના ચાર હાથ છે. 2014માં આનંદીબેનના સમયમાં ઘનશ્યામ પટેલને રાઇડનો કોન્ટ્રાકટ અપાયો હતો. કોઇ પણ અનુભવ ન હોવા છતાં પણ ઘનશ્યામ પટેલને આનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. સ્ટેન્ડિંગમાં વિરોધ પછી ઘનશ્યામ પટેલને કોન્ટ્રાક્ટ અપાયો હતો.
કાંકરિયા રાઇડ (Kankaria accident) નાં દુર્ધટના આરોપી ઘનશ્યામ પટેલ (Ghanshyam Patel) ને લઇને વીટીવીએ મોટો ખુલાસો કર્યો છે. અમ્યુઝમેન્ટ પાર્કના કોન્ટ્રાક્ટર ઘનશ્યામ પટેલ પર રાજનેતાના ચાર હાથ છે. 2014માં આનંદીબેનના સમયમાં ઘનશ્યામ પટેલને રાઇડનો કોન્ટ્રાકટ અપાયો હતો. કોઇ પણ અનુભવ ન હોવા છતાં પણ ઘનશ્યામ પટેલને આનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. સ્ટેન્ડિંગમાં વિરોધ પછી ઘનશ્યામ પટેલને કોન્ટ્રાક્ટ અપાયો હતો.
એ સમયે વર્તમાન મેયર બિજલ પટેલ રિ-ક્રિએશન કમીટીનાં ચેરમેન હતા. રિ-ક્રીએશન કમિટિની ભલામણથી ઘનશ્યામ પટેલને કોન્ટ્રાક્ટ અપાયો હતો. ઘનશ્યામ પટેલના ભાઇ મહેન્દ્ર પટેલ પૂર્વ કોર્પોરેટર રહી ચુક્યા છે. રાજકીય વગને કારણે મહેન્દ્ર પટેલ અને ઘનશ્યામ પટેલનો ખાસ દબદબો રહ્યો છે. કાંકરિયા સાથે વસ્ત્રાપુર અને જલધારા વોટર પાર્કનો કોન્ટ્રાક્ટ પણ ઘનશ્યામ પાસે છે.
જલધારામાં ગેરકાયદે ટેન્ડર આપીને કોન્ટ્રાક્ટ આપવાની પેરવી થઇ છે. હાલમાં જલધારા વોટર પાર્કના કોન્ટ્રાક્ટનો મુદ્દો પણ હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. હાઇકોર્ટમાં જલધારા કેસ હોવા છતાં પણ ઘનશ્યામ પટેલને કોન્ટ્રાક્ટ આપવાની પેરવી થઇ છે. કોર્ટમાં કેસ હોવા છતા જલધારાનો કોન્ટ્રાક્ટ ત્રણ વાર સ્ટેન્ડીંગમાં રજૂ થયો. કોર્પોરેશનના હોદેદારોની મિલીભગતથી ઘનશ્યામ પટેલ કરોડોનો કોન્ટ્રાક્ટ મેળવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાંકરિયામાં રાઇડ તૂટવાના મામલે કુલ 6 લોકો સામે ગુનો નોંધાયો છે. જેમાં સંચાલક, મેનેજર, 2 ઓપરેટર અને હેલ્પર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાઇડના માલિક ઘનશ્યામ પટેલની ગઇકાલે અટકાયત કરાઇ છે. કલમ 304 અને 114 મુજબ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે 6 લોકો સામે ફરિયાદ કરી છે. તમામ લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે. પોલીસે ઘનશ્યામ પટેલ, ભાવેશ પટેલ, તુષાર ચોકસી, યશ ઉર્ફે મહેન્દ્રભાઈ પટેલ, કિશન મહંતી અને મનીષ વાઘેલાની સામે ફરિયાદ દાખલ કરી છે. કાંકરિયાના આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ પટેલ ફરિયાદી બન્યા છે. કાંકરીયામાં રાઇડ તૂટવાના મામલે બેદરકારી બદલ રાઇડના માલિક અને સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદમાં કાંકરિયામાં રાઈડ તૂટવાના કારણે 2 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ હવે તંત્ર જાણે સફાળું જાગ્યુ છે. તંત્ર દ્વારા કાંકરિયામાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે. રાઈડ તૂટવા મામલે રાજ્ય સ્તરની એજન્સીઓ તપાસ કરશે. FSLની ટીમ અને અન્ય એજન્સીઓ પણ તપાસ કરવા માટે પહોંચશે. જેમાં ટેક્નિકલની ટીમો પણ તપાસમાં જોડાશે. આ સાથે જ આજે કાંકરિયા ખાતે ક્રેઈનથી રાઈડને નીચે ઉતારવામાં આવશે.