શહેરમાં અત્યાર સુધીમાં ચાલુ વર્ષે કુલ 100 કરતા પણ વધારે ભૂવા પડ્યા, ટ્રાફિક વિભાગના અધિકારીઓએ મૂક્યા બેરીકેટ
અમદાવાદમાં કાલુપુર ચાર રસ્તા પર પડ્યો ભૂવો
વાહન ચાલકો પરેશાન, AMCના અધિકારીઓ બેદરકાર
કામગીરીમાં નથી AMCને રસ?
અમદાવાદ શહેરને હવે ખાડાનગરી અથવા તો ભૂવાનગરી નામ આપવાની જરૂર લાગી રહી છે. કેમકે હવે રાજ્યમાંથી ચોમાસુ વિદાઈ લઇ રહ્યું છે તેવામાં સ્માર્ટસિટીમાં વધુ એક ભુવો પડ્યો છે.
કાલુપુર ચાર રસ્તા પર પડ્યો ભૂવો
અમદાવાદમાં વરસાદની સિઝનમાં ભૂવા પડે એ તો સમજી શકાય. પણ વિના વરસાદે ભૂવો પડવો એ તો ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો જ કહેવાય. અમદાવાદના વ્યસ્ત રહેતા એવા કાલુપુર ચાર રસ્તા પાસે મસમોટો ભૂવો પડ્યો છે. આ ભૂવાને 24 કલાકથી પણ વધુ સમય વિતી ગયો છે તેમ છતાં AMCના અધિકારીઓ દ્વારા કોઈ જ કામગીરી હાથ ધરાઈ નથી. ભૂવાના કારણે કાલુપુર ટાર રસ્તા પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે.
આ વર્ષે શહેરમાં 100થી પણ વધુ ભૂવા પડ્યા
પણ AMCના અધિકારીઓએ કામગીરી ન કરતા આખરે ટ્રાફિક પોલીસે બેરીકેટ મુક્યા હતા. આ પહેલા પણ કાલુપુર ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો હતો. ત્યારે ફરી એકવાર ભૂવો પડતા AMCની નિરસ કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. એક અંદાજ મુજબ આ વર્ષે શહેરમાં 100થી પણ વધુ ભૂવા પડ્યા હતા. જેમાંથી સૌથી વધુ ભૂવા જો પડ્યા હોય તો તે પશ્ચિમ વિસ્તાર હતો.