કોરોનાને લઇને જાહેર કરવામાં આવેલ લોકડાઉન વચ્ચે અમદાવાદના કાલુપુરમાં આવેલ સૌથી મોટુ ચોખા બજાર ગઇકાલથી શરૂ કરવામાં આવ્યું હતું. જો કે લોકોની ભીડ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થવાને લઇને બંધ કરવામાં આવ્યું હતું. જો કે આજે નિયમમાં ફેરફાર કરી શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ ચોખા બજારને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જેમાં બજારમાં 2 દુકાનો બંધ જેની સાથે 1 દુકાન ચાલુ રહેશે.
અમદાવાદના સૌથી મોટા ચોખા બજારને મળી પરવાનગી
બજારમાં 2 દુકાનો બંધ 1 દુકાન ચાલુ રહેશે
બીજા દિવસે બજાર શરૂ થતાની સાથે જ લાગી લાઈનો
રાજ્યમાં લોકડાઉન વચ્ચે અમદાવાદમાં ચોખા બજારને ખોલવાની તંત્ર દ્વારા છૂટ આપવામાં આવી છે. આજથી બજારમાં ત્રણ દુકાનમાંથી 2 દુકાનો બંધ રહેશે. જ્યારે 1 દુકાનને ચાલુ રાખવામાં આવશે. ચોખા બજાર ખુલતાની સાથે જ સવારમાં દુકાનની બહાર લોકોની ભીડ લાગી હતી.
ચોખા બજારમાં દુકાનોને સવારે 8 થી 1 વાગ્યા સુધી ખોલવાની તંત્ર દ્વારા છૂટ અપાઈ છે. બુધવારે બજાર ખોલવાની છૂટ અપાઈ હતી. જોકે ભીડ થવાના કારણે તંત્ર દ્વારા બજારને બંધ કરાયું હતુ. કાલુપુરમાં આવેલી ચોખા બજારમાં સેમી હોલસેલની 150 દુકાનો આવેલી છે. તંત્રના નિયમ પ્રમાણે દરરોજ 50 દુકાનો જ ચાલુ રહી શકશે.
અમદાવાદ મનપા,પોલીસ અને બજારના પ્રમુખોની થઇ હતી બેઠક
અમદાવાદ મનપા,પોલીસ અને કાલુપુર ચોખા બજારના પ્રમુખો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં પ્રમુખોને દુકાનોનું લિસ્ટ આપવા સૂચના અપાઇ હતી. જેમાં સેમી હોલસેલની 150 દુકાનો કાલુપુર ચોખા બજારમાં છે. ત્યારે રોજ 50 દુકાનો જ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં એક દુકાન ચાલુ રાખી બાજુની બે દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ભીડ ઓછી થાય તેને લઇ તંત્ર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.