અમદાવાદમાં ઘુમામાં મહંત સ્વામીનું કિડનેપ, અને બાદમાં છુટકારો થયા બાદ જમીન વિવાદનો આખો મામલો સામે આવ્યો છે.
ઘુમામાં 900 કરોડના જમીન વિવાદનો મામલો
કબીર મંદિરના મહંતનો અપહરણ બાદ છુટકારો
મહંતની તબીબી તપાસમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદના ઘુમામાં 900 કરોડના જમીન વિવાદનો મામલો સામે આવ્યો છે જેમાં અપહરણ બાદ તેમનો છુટકારો થતા આખો ઘટના ક્રમ સામે આવ્યો હતો. બિહાર પોલીસના નામે ભૂમાફિયાઓએ અપહરણ કર્યું હતું. જમીન પચાવવા અપહરણ કર્યાની શકયતાઓ દેખાઈ રહી છે.
મહંત કૃપાચરણ ગોસ્વામી ઘુમાના કબીર મંદિરમાં 44 વર્ષથી રહે છે. મહંત કૃપાચરણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અગાઉ આ કેસમાં જમીન પચાવવા મુદ્દે 2 ફરિયાદ થઈ ચૂકી છે.
કબીર મંદિરના મહંતનું અપહરણ કેમ?
મહંત કૃપાચરણ ગોસ્વામીનું કરાયુ અપહરણ
ઘુમા કબીર મંદિરના મહંતનું અપહરણ જમીન માટે કરાયુ
35 વિઘા જમીન ભૂમાફિયાઓએ પચાવી પાડવા રચ્યું હતું કાવતરૂ