અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં APS સ્કૂલ સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. સ્કૂલ તંત્રને ક્લાસ રૂમ બંધ કરવાની એટલી તો ઉતાવળ હતી કે કોઈએ ક્લાસમાં ચેક પણ ન કર્યા અને એક બાળકી ક્લાસ રૂમમાં રહી ગઈ. એટલું જ નહીં બહારથી ક્લાસ રૂમને લોક પણ મારી દેવામાં આવ્યું હતું.
#Video#Ahmedabad જુહાપુરામાં એપીએસ સ્કૂલમાં તંત્રની બેદરકારીથી બાળકી થઇ કેદ
બાળકીના રડવાના અવાજ થી સ્થાનિક લોકોએ બાળકીને બહાર કાઢી..
સ્કૂલના દરવાજા નું લોક તોડીને બાળકીને બહાર કાઢી..
બાળકી ખૂબ જ ગભરાઈ ગઈ pic.twitter.com/Anmo3igTN0
જો કે આ બેદરકારીને લીધે એક માસૂમ બાળકી ક્લાસમાં રહી ગઈ હતી. લાંબા સમય બાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યા બાદ સ્થાનિકો વહારે આવ્યા હતા.
#BREAKING#Ahmedabad જુહાપુરામાં એપીએસ સ્કૂલમાં તંત્રની બેદરકારીથી બાળકી થઇ કેદ
બાળકીના રડવાના અવાજ થી સ્થાનિક લોકોએ બાળકીને બહાર કાઢી..
સ્કૂલના દરવાજા નું લોક તોડીને બાળકીને બહાર કાઢી..
બાળકી ખૂબ જ ગભરાઈ ગઈ pic.twitter.com/bNJDslNzo6
બાળકીને બહાર કાઢવા માટે રૂમના દરવાજા પર લગાવેલું લોક તોડી નાખ્યું હતું અને બાળકીને બહાર કાઢી હતી. તો બાળકીના પરિવારજનોએ પણ સ્કૂલ સંચાલકો વિરુદ્ધ બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને સ્કૂલ સત્તાધીશો વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે શાળા છૂટ્યા બાદ કોઇ ક્લાસરૂમમાં બાળક અથવા તેનો કોઇપણ પ્રકારનો સામાન રહી તો ગયો નથી ને તે તપાસવાની જવાબદારી શાળાતંત્રની હોય છે પરંતુ ઉતાવળ હોવાને કારણે શાળાના ક્લાસરૂમને તાળું મારી દેવામાં આવ્યું અને એક બાળકી શાળાના ક્લાસરૂમમાં જ પૂરાઇ ગઇ હતી.