બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : અસામાજિક તત્વો વિફર્યા, જાહેરમાં છરી અને લાકડીઓ ઉડી, પોલીસનો ડર ગાયબ!
Last Updated: 08:29 AM, 22 April 2025
રાજ્યમાં એક તરફ અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. તો બીજી તરફ લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ ન હોય તેમ બેફામ બની રહ્યાં છે. ત્યારે ફરી એકવાર અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જુહાપુરામાં છરી અને લાકડીઓ સાથે આંતક મચાવતો તત્વોનો વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં અસામાજિક તત્વોને નથી રહ્યો કાયદાનો ડર
— Dinesh Chaudhary (@DineshVTVNews) April 22, 2025
જુહાપુરામાં લુખ્ખાતત્વોએ ધોળા દિવસે કરી મારામારી
છરી અને લાકડીઓ સાથે એકબીજા પર કર્યો હુમલો pic.twitter.com/4arxdDZTUn
જુહાપુરામાં લુખ્ખાતત્વોએ ધોળા દિવસે કરી મારામારી
ADVERTISEMENT
જુહાપુરામાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. છરી અને લાકડીઓ સાથે આંતક મચાવતા કેટલાક તત્વોએ જુહાપુરા વિસ્તારને બાનમાં લીધો હતો. અંગત અદાવતને લઈ હથિયારો સાથે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો આવ્યો હતો. જેના પગલે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે.
સળગતા સવાલ
અમદાવાદમાં લુખ્ખાતત્વોને કાયદાનો ડર નથી રહ્યો ?
પોલીસની કાર્યવાહી છતાં સ્થિતિમાં કોઈ સુધાર કેમ નહીં ?
હથિયાર સાથે બબાલ કરનારા સામે ક્યારે થશે કાર્યવાહી?
વીડિયો વાયરલ છતાં આરોપીઓ પોલીસ પકડથી કેમ દૂર?
અમદાવાદમાં વધતી ગુનાખોરી સામે કડક એક્શન ક્યારે ?
આ પણ વાંચો: દ્વિપક્ષીય વેપારથી લઈને સંરક્ષણ અને ટેકનોલોજી સુધી, PM મોદી અને જેડી વાન્સ વચ્ચે આ મુદ્દાઓ પર થઈ ચર્ચા
અસામાજિક તત્વો કેમ બેફામ બની રહ્યાં છે ?
અમદાવાદમાં રહેવું સામાન્ય પ્રજા માટે દિવસે ને દિવસે કપરું થઈ રહ્યું છે. કારણકે, અસામાજિક તત્વોને કદાચ પોલીસનો ડર નથી રહ્યો. શહેરમાં છાશવારે લુખ્ખાતત્વોની દાદાગીરીની ઘટનાઓ સામે આવે છે. ત્યારે જાહેરમાં મારામારીની ઘટના બનતા હવે પ્રજામાં પણ લુખ્ખા તત્વોનો ડર જોવા મળ્યો છે. ત્યારે એક જ સવાલ થાય કે, અમાદાવાદ રહેવા લાયક રહ્યું નથી?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.