સુપ્રિમ કોર્ટ દ્વારા ઓડિશામાં દર વર્ષે યોજાનારી પુરીની જગન્નાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે અમદાવાદમાં પણ યોજનારી રથયાત્રા રદ્દ થાય તેવા અટકળો સામે આવી રહી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ પુરીની રથયાત્રા રદ્દ થતાં હેવ અમદાવાદમાં પણ રથયાત્રા રદ્દ થઇ શકે છે. જ્યારે બીજી તરફ રથયાત્રા પર રોક લગાવતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવતી અરજી હાઇકોર્ટમાં કરાઇ
અમદાવાદની રથયાત્રા પણ રદ્દ થાય તેવી સંભાવના
હજુ સુધી રાજ્ય સરકારે નથી લીધો કોઇ નિર્ણય
અમદાવાદની રથયાત્રા રદ્દ થાય તેવી શક્યતા
અમદાવાદની રથયાત્રા રદ થઇ શકે છે. મળતી માહિતી મુજબ પુરીની રથયાત્રા રદ થતા અમદાવાદ પણ રદ થઇ શકે છે. રથયાત્રાના 4 દિવસ બાકી હોવા છતાં હજુ સુધી રાજ્ય સરકારે કોઇ નિર્ણય નથી લીધો.
પોલીસને પણ હજુ સુધી કોઈ આદેશ નથી અપાયો. રથયાત્રાના રૂટમાં પાંચ કન્ટેઈનમેંટ ઝોન છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત રથયાત્રાના રૂટમાં છે. જેને લઇ હજુ સુધી સરકારે જગન્નાથ મંદિરને કોઈ અનુમતિ પણ નથી આપી.
રથયાત્રા પર રોકને લઇ ગુજરાત હાઇકોર્ટમાં કરાઇ અરજી
સુપ્રીમ કોર્ટ દ્વારા પુરીની જગન્નાથ રથયાત્રા પર રોક લગાવામાં આવી છે, ત્યારે અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા પર પર રોક લગાવાને લઇને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ સાથે અર્જન્ટ ચાર્જની સુનાવણી કરવા અરજદારને હાઇકોર્ટમાં માંગણી કરી છે. અરજદારે રાજ્યમાં કોરોના મહામારીના કારણે અમદાવાદમાં રથયાત્રા પર રોક લગાવાની માગણી કરી છે.