રથયાત્રા / અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ, ગૃહરાજ્ય મંત્રીએ કરી સમીક્ષા, પોલીસે કર્યું રિહર્સલ

Ahmedabad Jagannath mandir rathyatra Preparation coronavirus gujarat

કોરોનાના કહેરને ધ્યાને રાખીને આ વર્ષની 143મી રથયાત્રાની પરંપરામાં કેટલાક ફેરફાર કરાયા છે. આ વર્ષે માત્ર મંદિરના પ્રાંગણમાં જ જગન્નાથ યાત્રા કરશે તેવો નિર્ણય લેવાયો છે. જોકે અમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી ચાલી હતી. આ તમામ અરજીઓને હાઇકોર્ટે ફગાવી દીધી છે. તેથી હવે મંદિરના પટાંગણમાં જ રથયાત્રા યોજાશે. મહત્વનું છે કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જગન્નાથજી મંદિર ખાતે બેઠક પણ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ